Last Updated on by Sampurna Samachar
આ પહેલા પણ અહીં અનેક વખત વિસ્ફોટ થઈ ચુક્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ફરી પ્રચંડ વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે. આતંકવાદીઓએ કોલસાની ખાણમાં કામ કરતા શ્રમિકોને લઈ જઈ રહેલા વાહનને નિશાન બનાવી બોંબ વિસ્ફોટ કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૧ ના મોત થયા છે. આ પહેલા પણ અહીં અનેક વખત વિસ્ફોટ થઈ ચુક્યા છે.
બલુચિસ્તાનના હરનઈમાં ભાયનક વિસ્ફોટ થયો છે. એવું કહેવાય છે કે, એક ટ્રકમાં કોલસાની ખાણમાં કામ કરતા શ્રમિકો ખાણ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રિમોર્ટ દ્વારા વાહનમાં ભયાનક વિસ્ફોટ કરવામાં આવ્યો છે, જેમાં ઘટના સ્થળે જ ૧૧ લોકોના મોત થયા છે. ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલીક સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓએ રિમોર્ટથી વિસ્ફોટ કર્યો હતો. હાલ કોઈપણ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. આ વિસ્તારના નાયબ કમિશનર હજરત વલી આગાએ કહ્યું કે, જ્યારે વિસ્ફોટ થયો, ત્યારે ટ્રકમાં ૧૧ શ્રમિકો સવાર હતા.
સ્થાનીક હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું કે, ઈજાગ્રસ્તોમાં બેની હાલત ગંભીર છે. ખાણ સમૃદ્ધ બલૂચિસ્તાન , ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલી છે. અલગાવવાદી જાતીય બલૂચ જૂથો દ્વારા અહીં અવારનવાર હુમલાઓ અને વિસ્ફોટો કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં ઈસ્લામી આતંકવાદી પણ સક્રિય છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સેના અને પોલીસની બર્બતા વિરુદ્ધ સ્થાનીક લોકો ગુસ્સે થયેલા છે. જેના કારણે અહીં સેના અને બલૂચ બળવાખોરો વચ્ચે અવારનવાર લોહીયાળ અથડામણ થતી રહે છે. આ પહેલા પહેલી ફેબ્રુઆરીએ સેના અને બળવાખોરો વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી, જેમાં પાકિસ્તાની સેનાના ૧૮ જવાનોને મોત થયા હતા. અથડામણમાં ૨૩ બળવાખોરોના પણ મોત થયા હતા. આ ઉપરાંત બલૂચોએ હાઈવે પર પણ કબજો કરી લીધો હતો, જેના કારણે સેના લાચાર બની ગઈ હતી.
અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં અવારનવાર હિંસક ઘટનાઓ બનતી રહે છે. બલૂચિસ્તાનના લોકો શાહબાજ શરીફ સરકાર, પાકિસ્તાન આર્મી અને સ્થાનીક પોલીસની દમનકારી નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહે છે. એવું કહેવાય છે કે, બલુચ લિબરેશન આર્મી (બીએલએ) અને પાકિસ્તાન સુરક્ષા દળો વચ્ચે હાલમાં થયેલી અથડામણ અત્યાર સુધીની સૌથી મોટી ઘટના છે.