Last Updated on by Sampurna Samachar
એર સ્ટ્રાઇક બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન
ભારતીય સેનાએ ભારતીયોના મસ્તક ગર્વથી ઊંચા કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સેનાએ પહલગામ આતંકી હુમલાના ગુનેગારોને સજા આપતા પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી છે, જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. હવે તેના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, “ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.”
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, “ ભારતીય સેનાએ નક્કી કરેલા ટાર્ગેટ પર સટીક ઓપરેશન કર્યું. અમે એમને જ માર્યા છે, જેમણે અમને માર્યા. અમે આતંકીઓના ટ્રેનિંગ કેમ્પસ ઉડાવી દીધા છે.” PM મોદીના માર્ગદર્શનમાં આપણી ભારતીય સેનાએ તમામ ભારતીયોના મસ્તક ગર્વથી ઊંચા કરી દીધા છે. આ અવસર પર તમામે ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા.”
સેનાએ સતર્કતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરી
રાજનાથ સિંહે જણાવ્યું કે, “આપણી ભારતીય સેનાએ પોતાના અદ્ભુત શૌર્યનો પરિચય આપતા નવો ઈતિહાસ રચી દીધો છે. ભારતની સેનાએ સતર્કતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરી છે. ટાર્ગેટ નક્કી કર્યા હતા. તેને નિશ્ચિત સીમાની અંદર ધ્વસ્ત કર્યા છે અને કોઈ પણ નાગરિકના ઠેકાણા અને જનસંખ્યાને પ્રભાવિત નહીં કરવાની સંવેદનશીલતા પણ સેનાએ બતાવી છે.”
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે ભારતે જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું, “અમે ફક્ત તે લોકોને જ માર્યા જેમણે આપણા નિર્દોષોને માર્યા. સેનાએ હનુમાનની જેમ હુમલો કર્યો. હું ભારતીય સેનાની બહાદુરીને સલામ કરું છું. અમે હનુમાનજીના આદર્શનું પાલન કર્યું છે, જે તેમણે અશોક વાટિકાનો નાશ કરતી વખતે અનુસર્યું હતું, ” જિન મોહી મારા, તિન મોહી એટલે કે અમે ફક્ત તે લોકોને જ માર્યા જેમણે આપણા નિર્દોષોને માર્યા.”