Last Updated on by Sampurna Samachar
ફળ-શાકભાજીમાં જંતુનાશકો અંગે મહત્ત્વના આંકડા રજૂ
બજારની દરેક શાકભાજી ઝેરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બજારમાંથી ફળ અને શાકભાજી ખરીદતી વખતે દરેક સામાન્ય માણસના મનમાં એ ડર ચોક્કસ હોય છે કે, તેમાં ખતરનાક જંતુનાશક દવાઓ તો નથી ભળેલી ને લોકસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા આપવામાં આવેલા આંકડાઓએ આ ચિંતા અંગે મહત્ત્વની વિગતો સામે મૂકી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં જણાવ્યું કે કુલ સેમ્પલ તપાસ: છેલ્લા ૩ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરે ૭૦,૬૫૨ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. આમાંથી માત્ર ૩.૧%(૨,૨૨૩ સેમ્પલ)માં જંતુનાશકોના અવશેષો FSSAI ની નક્કી કરેલી સુરક્ષિત સીમાથી વધુ મળી આવ્યા.
સુરક્ષિત સેમ્પલ: ૯૬.૯% સેમ્પલ સંપૂર્ણપણે સુરક્ષિત મળી આવ્યા છે. આનો અર્થ એ બિલકુલ નથી કે, બજારની દરેક શાકભાજી ઝેરી છે. ૨૦૦૫થી ચાલી રહેલી MPRNL મોનિટરિંગ સિસ્ટમ હેઠળ GPS લોકેશન દ્વારા ખેતરો સુધી ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી સુરક્ષિત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપી શકાય.
ભારત ફળ અને શાકભાજીનો શુદ્ધ નિકાસકાર બની રહ્યો છે
નિકાસ: વર્ષ ૨૦૧૬-૧૭માં નિકાસ $ ૨.૪૫ બિલિયન હતી, જે ૨૦૨૫-૨૬માં વધીને $ ૩.૯૩ બિલિયન લગભગ ૫૮.૨ લાખ ટન થઈ ગઈ છે.
આયાત: જોકે, વધતી સ્થાનિક માંગને કારણે આયાત પણ ઇં૧.૭૮ બિલિયનથી વધીને $ ૩.૮૨ બિલિયન પહોંચી છે.
ડિજિટલ ક્રોપ સર્વે: પાક ઉત્પાદનના સાચા અંદાજ માટે ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટીમેશન સર્વે હવે ૨૩ રાજ્યોમાં લાગુ છે. જેમાં પાક લણણીના આંકડા મોબાઇલ એપ અને GPS ફોટો સાથે નોંધવામાં આવે છે. હિતધારકોના સૂચનો બાદ સરકારે ડ્રાફ્ટ સુગર્સ ઑર્ડર ૨૦૨૬ પરત ખેંચી લીધો છે.
ઓઇલ પામ મિશન: ખાદ્ય તેલની આયાત ઘટાડવા માટે શરૂ કરાયેલા નેશનલ મિશન હેઠળ અત્યાર સુધીમાં ૨.૯૮ લાખ હેક્ટરમાં ઓઇલ પામની ખેતી શરૂ થઈ ચૂકી છે, જેના પરિણામો આગામી ૪-૫ વર્ષોમાં પૂર્ણ ઉત્પાદન સાથે દેખાશે.
રબર ઉત્પાદન: વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતે ૯.૦૫ લાખ ટન રબરનું ઉત્પાદન કર્યું, જ્યારે ૪.૫૯ લાખ ટન આયાત કરવું પડ્યું. આંતરરાષ્ટ્રીય બજારની અસરોથી રબરની સરેરાશ કિંમતો રૂ.૧૯૭થી વધીને રૂ.૨૫૩ પ્રતિ કિલો સુધી પહોંચી છે.
આંકડા સ્પષ્ટ કરે છે કે, ડરવાને બદલે જાગરૂક રહેવાની જરૂર છે. સરકારનું ધ્યાન માત્ર જંતુનાશકોના ઉપયોગને રોકવા પર જ નહીં, પરંતુ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સુરક્ષિત ઉત્પાદન, ડિજિટલ મોનિટરિંગ અને આયાત પરની ર્નિભરતા ઘટાડવા પર છે.