વિદ્યાર્થિનીએ ૧૫મા માળેથી લગાવી મોતની છલાંગ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સુસાઈડ નોટ પણ મળી આવી

અભ્યાસને લઇ દબાણ હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગાઝિયાબાદની ગૌર સિદ્ધાર્થમ સોસાયટીમાં વિદ્યાર્થીનીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો હતો. એક ૧૬ વર્ષની વિદ્યાર્થિનીએ ૧૫મા માળેથી છલાંગ લગાવી હતી. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થિનીને પોલીસની મદદથી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. પોલીસને સ્થળની તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ પણ મળી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તેમાં તેણે અભ્યાસને લગતા દબાણનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. વિજયનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ધર્મપાલ સિંહના જણાવ્યા અનુસાર, ઘટના  સાંજે લગભગ ૬:૩૦ વાગ્યે બની હતી. લગભગ ૭ વાગ્યે ડાયલ-૧૧૨ દ્વારા પોલીસને ગૌર સિદ્ધાર્થમ સોસાયટીમાં એક વિદ્યાર્થિનીએ ૧૫માં માળેલી ઝંપ લાવ્યું હોવાની માહિતી મળી હતી.

પોલીસે મામલાને લઇ તપાસ હાથ ધરાઇ

માહિતી મળતાં જ વિજયનગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી. ત્યાં તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. ઘટના બાદ સોસાયટીમાં ઘણા સમય સુધી અફરાતફરીનો માહોલ રહ્યો હતો. આસપાસના લોકોની ભીડ પણ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ત્યાંની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ ઘટના ગૌર સિદ્ધાર્થમ સોસાયટીના ટાવરમાં બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ શનાયા બિષ્ટ (ઉં.વ.૧૬), પુત્રી દેવેન્દ્ર સિંહ, ફ્લેટ નંબર ૧૫૭૬,  ટાવર, ગૌર સિદ્ધાર્થમ સોસાયટી તરીકે થઈ છે. ઘટનાની જાણ સોસાયટીના લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ઘટનાને લગતી જરૂરી માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું. આ સાથે પોલીસે વિદ્યાર્થિનીના પરિવાર અને આસપાસના લોકો પાસેથી પણ ઘટનાને લગતી માહિતી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

પોલીસનું કહેવું છે કે ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે અને સામે આવેલા તમામ તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળની તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ મળી હતી. તેમાં શૈક્ષણિક એટલે કે અભ્યાસને લગતા દબાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે આ નોટને તપાસનો ભાગ બનાવી છે અને તેના આધારે પણ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.