Last Updated on by Sampurna Samachar
ભારતમાં ૩૦ વર્ષથી ઓછી વયના પાંચમાંથી એક વ્યક્તિ પ્રિ–ડાયાબિટિક
ભારતમાં નિવારાત્મક આરોગ્ય સંભાળ વધારે અંગત અને ચોકસાઇભરી બનાવવાની જરૂર : અભ્યાસનું તારણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક ખાનગી હોસ્પિટલ ચેઇન દ્વારા વિશ્વ આરોગ્ય દિને પ્રકાશિત કરવામાં આવેલાં અભ્યાસમાં ચેતવણીઆપવામાં આવી છે ભારતમાં દર ત્રણ યુવાનોમાંથી બે યુવાનો પર બિન ચેપી રોગો એટલે કે એનસીડી થવાનું જોખમ રહેલું છે. દેશની નોકરીધંધો કરતી વસ્તીમાંથી લગભગ અડધાં પ્રિ–ડાયાબિટિક જણાયા છે અનેદસમાંથી આઠ જણાં વધારે પડતું વજન ધરાવતાં હોવાનું જણાયું છે. આ સર્વેમાં ૩૦ લાખ લોકોને આવરી લઇનિવારાત્મક આરોગ્ય વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભ્યાસના તારણો દર્શાવે છે કે યુવાનો અને નોકરીધંધો કરતી વસ્તીમાં આરોગ્યના જોખમો દર્શાવતાંપરિબળો મોજૂદ છે. ૩૦ વર્ષથી ઓછી વયના પાંચ જણાંમાં એક જણ પ્રિડાયાબિટિક જણાયો છે. નોંધપાત્રબાબત એ છે કે વહેલાસર જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો આ સ્થિતિને ઉલટાવવી શક્ય છે.
ચયાપચયની સમસ્યાઓ વધી
૩૦વર્ષથી ઓછી વયના માત્ર ૨૮ ટકા વ્યક્તિઓએ સમયસર જીવનશૈલી બદલી સુગર લેવલને સામાન્ય સ્તરે લઇઆવી શક્યા છે. તેની સામે ૫૦થી વધારે વયના લોકોમાં માત્ર સાત ટકા લોકો જ તેમની જીવનશૈલી બદલવામાંસફળ નીવડયા છે. સર્વેના ડેટામાંથી જાણવા મળ્યું છે કે નોકરી ધંધો કરતી વસ્તીમાં આરોગ્ય વિષયક જોખમો વ્યાપક જણાયાં છે.
સરેરાશ ૩૮ વર્ષની વય ધરાવતાં આ વયજૂથમાં દસમાંથી આઠ જણાં વધારે પડતું વજન ધરાવતાં અને લગભગ અડધાં પ્રિડાયાબિટિક કે ડાયાબિટિસ ધરાવતાં હોવાનું જણાયું છે. જ્યારેદર ચાર જણાંએ એક જણ હાઇ બ્લડ પ્રેશરથી પીડાતો હોવાનું જણાયું છે. આ લક્ષણો દર્શાવે છે કે દેશના ઉત્પાદક વય જૂથમાં ચયાપચયની સમસ્યાઓ વધી રહી છે.
હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે વસ્તીનાડેટા, જીવનશૈલી અને આધુનિક નિદાન પદ્ધતિઓનો ઉપયોગ કરી નિવારાત્મક આરોગ્ય સંભાળને વધારે અંગતઅને ચોકસાઇભરી બનાવવા પર ભાર મુકવો જરૂરી છે.