Last Updated on by Sampurna Samachar
અજમેર શરીફ દરગાહના દીવાનનુ નિવેદન
સિંદૂરનું આપણી સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત તરફથી પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પર ઓલ ઈંડિયા સૂફી સજ્જાદાનશીન કાઉંસિલના ચેરમેન અને અજમેર શરીફ દરગાહના દીવાન સૈયદ નસીરુદ્દીન ચિશ્તીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતે પોતાની તાકાત દેખાડી દીધી છે. હું તમામ સૈન્યકર્મીઓને સલામ કરુ છું અને સરકારનો પણ આભાર વ્યક્ત કરુ છું.
સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે, હું પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરવા માગું છું, કેમ કે તેમણે દેશના લોકોની ભાવનાને સમજી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. આપણે આતંકવાદને મૂળમાંથી ઉખેડીને ફેંકી દઈશું. સિંદૂરનું આપણી સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન છે, કારણ કે તેને વિવાહિત મહિલાઓ લગાવે છે. પણ પહલગામમાં તેને કેટલીય મહિલાઓએ ખોઈ દીધું હતું અને આજે આ ઓપરેશન સિંદૂર દ્વારા તેનો બદલો લેવાયો છે.
ભારતે દુનિયાને પોતાની શક્તિ દેખાડી દીધી
તેમણે કહ્યું કે આખી દુનિયા ભારતીય સેનાની તાકાતનો સ્વીકાર કરે છે અને આજે ભારતે પોતાની શક્તિ બતાવી છે. ભારત સરકાર અને ભારતીય સેના પાસેથી લોકોની અપેક્ષાઓ પર દેશ ખરો ઉતર્યો છે. બધા આતંકવાદીઓને, તેમને ટેકો આપનારાઓને, સરકારને અને આખી દુનિયાને કહેવામાં આવ્યું છે કે આ નવું ભારત છે.