Last Updated on by Sampurna Samachar
ડ્રાઈવરે સ્ટેરિંગ કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
અગાઉ અકસ્માતમાં સામ મહિલાઓના થયા હતા મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા તો ૨૦ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી છે. અહેવાલો અનુસાર, બસ મેંઢર તરફ જઈ રહી હતી. ત્યારે ખોડ ધારા નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
અગાઉ સેનાના વાહનનો થયો હતો અકસ્માત
સુત્રોથી મળતી માહિતી અનુસાર જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં સેનાનું વાહન ઊંડી ખીણમાં ખબક્યું હતું. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના નિધન થયા હતા. મૃતકોની ઓળખ અમિત કુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ હતી. સેનાનું વાહન જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતું. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ પર ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વાહન ખીણમાં ખબક્યું હતું. ઉલ્લેખનીય કે,૧૦ મી એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંધાર વિસ્તારમાં ટાટા સુમો વાહન રસ્તા પરથી લપસીને ખીણમાં ખબકતા સાત મહિલાઓ સહિત નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.