Last Updated on by Sampurna Samachar
અકસ્માતમાં બંને એન્જિનન કચ્ચરઘાણ નીકળી ગયો
ટ્રેનના પાયલોટને લોકો દ્વારા બચાવી લેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઝારખંડના બરહેટમાં કોલસા ભરેલી બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હોવાની માહિતી સામે આવી છે. ફરક્કાથી લાલમતિયા જતી માલગાડી બરહેતમાં ઉભી હતી ત્યારે કોલસા ભરીને જતી માલગાડી ત્યાંથી પસાર થતાં અથડાઈ હતી. પરિણામે દુર્ઘટના સર્જાઈ હતી.
બે ટ્રેન (TRAIN) એટલી જોરથી અથડાઈ કે બંને એન્જિનનો કચ્ચરઘાણ નીકળી ગયો અને તેમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી હતી. હાલમાં એક મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે બીજો મૃતદેહ હજુ પણ એન્જિનમાં ફસાયેલો છે. આ દુર્ઘટના સવારે લગભગ ૩.૩૦ વાગ્યે બની હતી. આ લાઇન પર માલગાડીઓ નું સંચાલન બંધ થઈ ગયું છે.
ટ્રેન શરૂ કરવામાં બે થી ત્રણ દિવસ લાગી શકે
રાબેતા મુજબ ટ્રેન શરૂ કરવામાં બે થી ત્રણ દિવસ લાગી શકે છે. બે મહિના અગાઉ ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક ભયંકર ટ્રેન અકસ્માત થયો હતો. રેડ સિગ્નલ પર ઉભેલી માલગાડીને સામેથી બીજી માલગાડીએ ટક્કર મારી હતી. ટક્કર થતાં જ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું અને ઝાડીઓમાં પડી ગયું. આ અકસ્માતમાં બંને ટ્રેનના લોકો પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોકોની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માત કાનપુર અને ફતેહપુર વચ્ચે ખાગામાં પમ્ભીપુર નજીક ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર થયેલા અકસ્માતની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ, પોલીસ અને ય્ઇઁ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ટ્રેક પર ફક્ત માલગાડીઓ જ દોડે છે, તેથી પેસેન્જર ટ્રેનોની અવરજવર પર કોઈ અસર પડી નથી, પરંતુ રેલ્વે મંત્રાલયે તપાસનો આદેશ આપ્યો છે કે છેલ્લી ભૂલ કોની હતી ?