Last Updated on by Sampurna Samachar
ભારતીય સેનાએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સ્ટેડિયમ પર કર્યો હુમલો
પાકિસ્તાન સુપર લીગની બાકી મેચ કરાચીમાં શિફ્ટ કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. જ્યાં પાકિસ્તાને ભારતના ૧૫ શહેરો પર હુમલાની કોશિશ કરી, પણ ભારતની વાયુ રક્ષા પ્રણાલીએ આ હુમલાને નિષ્ફળ કરી દીધા હતા. આ દરમ્યાન મોટા સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલપિંડી (Rawalpindi) ક્રિકેટ સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો થયો હતો. જે આ સ્ટેડિયમમાં પાકિસ્તાન સુપર લીગની મેચ રમાવાની હતી, જેને પેશાવર અને કરાચીની ટીમે આમને સામને રમવાની હતી.
રાવલપિંડીમાં આવેલા સ્ટેડિયમ પર પાકિસ્તાન સુપર લીગની બાકી મેચ કરાચીમાં શિફ્ટ કરી દીધી છે. જે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં આયોજીત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એક ઈમરજન્સી બેઠક દરમ્યાન આ ર્નિણયને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. તેમાં PSL માં સામેલ ટીમોના માલિકો અને એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો
૭ અને ૮ મેની વચ્ચે રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ દ્વારા અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલૌદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તરી અને પશ્ચિમી ભારતમાં કેટલાય સ્થળો પર ટાર્ગેટ બનાવ્યો હતો. આ હુમલામાં ફરી એક વાર ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આવી જ રીતે રાવલપિંડી સહિત પાકિસ્તાનના કેટલાય મોટા શહેરો પર ભારતે હુમલો કરી તેની એર ડિફેન્સ સિસ્ટમના ભુક્કા બોલાવી દીધા.