Last Updated on by Sampurna Samachar
મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ હુમલા અંગે લાગણી દર્શાવી
પરિવારોને દુ:ખમાંથી બહાર આવવાની શક્તિ મળે
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL સીઝન ૧૮ ની વચ્ચે આવેલા એક માત્ર સમાચાર સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. પહલગામમાં આતંકવાદની કાયરતાપૂર્ણ હરકતની અસર ક્રિકેટના મેદાનમાં પણ જોવા મળી હતી. કેટલાય ક્રિકેટર્સ પોતાના ઈમોશન સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ચૂક્યા છે. મોહમ્મદ સિરાજ અને શમી પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં જોડાઈ ગયા છે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારતીય ક્રિકેટર્સ મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને હુમલાની ટીકા કરી છે. બંનેએ “ઓલ આઈસ ઓન પહલગામ”નો ફોટો પણ શેર કર્યો છે.
પર્યટકો આતંકી નહીં પણ સુંદરતા અને શાંતિ શોધવા આવે છે
શમીએ જણાવ્યું કે, જ્યારે પોસ્ટ કરી ત્યારે ખબર પડી. બંને ક્રિકેટર્સ હાલમાં IPL રમી રહ્યા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પહલગામમાં થયેલા ભયાનક અને ચોંકાવનારા આતંકી હુમલાના સમાચાર સાંભળીને દુ:ખી થઈ રહ્યા છે.
સિરાજે કહ્યું કે, ધર્મના નામ પર નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ બનાવવા અને મારવા શરમજનક છે. કોઈ કારણ, વિશ્વાસ અને કોઈ વિચારધારા ક્યારેય પણ આ રીતે રાક્ષસી કૃત્યને સાચી ઠેરવી શકે નહીં. આ કેવી લડાઈ છે. જ્યાં માણસના જીવની કોઈ કિંમત જ નથી. સિરાજે આગળ લખ્યું કે, તે કલ્પના પણ નથી કરી શકતા કે પરિવારોને કેવી પીડા અને આઘાતમાંથી પસાર થવું પડ્યું હશે. પરિવારોને આ અસહનીય દુ:ખમાંથી બહાર આવવાની શક્તિ મળે. અમને આપના નુકસાન માટે અત્યંત ખેદ છે. મને આશા છે કે, આ ગાંડપણ જલદી ખતમ થાય.
હૈદરાબાદ તરફથી રમી રહેલા શમી પહલગામની ઘટનાથી હચમચી ગયો. શમીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર “ઓલ આઈસ ઓન પહલગામ” લખેલો ફોટો સાથે લખ્યું કે, પર્યટકો આતંકી નહીં પણ સુંદરતા અને શાંતિ શોધવા આવે છે. પહલગામમાં થયેલો હુમલો દિલને હચમચાવી નાખતો અને અમાનવીય છે. અમે પીડિતો અને તેમના પરિવારો સાથે દુ:ખ અને એકજૂટતાથી ઊભા છીએ. આતંકવાદીઓને શોધીને કોઈ પણ દયા વિના દંડ આપવાની પણ વાત શમીએ કરી છે.