Last Updated on by Sampurna Samachar
આંતકવાદીઓએ પર્યટકો પર નિશાન સાધ્યું
હિમવર્ષા બાદ સેંકડોની સંખ્યામાં પર્યટકોનો થયો હતો જમાવડો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરના પહલગામ (PAHALGAM) માં મોટો આતંકવાદી હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં ૨૫ થી વધુ પ્રવાસીઓના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે ૧૦થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. બે લોકોની હાલત ગંભીર જણાવાઇ રહી છે. તેમાંના ત્રણ સ્થાનિક નાગરિક છે.
મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીરના પહલગામમાં ફરવા આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ અંધાધુંધ ફાયરિંગ કરી ૨૫ થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે આ આતંકી હુમલામાં જેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગરના વિનુ પટેલ, માનિક પટેલ અને રિનો પાંડેયનો સમાવેશ છે. તેમજ મહારાષ્ટ્રના એસ. બાલાચંદ્રુ અને ડૉ. પરમેશ્વર ઘાયલ થયા છે. આ સિવાય કર્ણાટકના અભિજવન રાવને પણ ઈજા પહોંચી છે.
ટ્રેકિંગ પર ગયેલા પ્રવાસીઓ પર કર્યો ગોળીબાર
વાત કરીએ તો આ દુ:ખદ બનાવ બાદ ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી અને તેમણે હાઈલેવલની બેઠક બોલાવી હતી. તેમજ અમિત શાહ ટુંક સમયમાં જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે.
માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચતા હોય છે. ત્યારે આ વચ્ચે પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર પર્યટકો રાજસ્થાનથી કાશ્મીર ફરવા માટે આવ્યા હતા. પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
થોડા દિવસ બાદ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે, આ યાત્રામાં પહલગામમાં જ બેઝ કેમ્પ બનાવવામાં આવે છે. ગરમીના કારણે કાશ્મીરમાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. એવામાં આ આતંકવાદી હુમલાના કારણે કાશ્મીર ગયેલા અન્ય ટૂરિસ્ટોના જીવ પડીકે બંધાયા છે.
સાથે સાથે આગામી સમયમાં થનારી અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થયા છે. પર્યટકો પર આ પ્રકારના હુમલાના કારણે કાશ્મીરના વેપાર ઉદ્યોગ પર પણ અસર પડશે.