Last Updated on by Sampurna Samachar
સેનાએ બે આતંકીઓને ઠાર કરી પાકિસ્તાની ચલણી નોટો જપ્ત કરી
રાઈફલ, જીવતા કારતૂસ, મેગજિન મળી આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાના જવાનોએ ઉત્તર કાશ્મીરના ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. જેમાં ભારતીય સેનાએ બારામુલ્લાના હાજી પીર સેક્ટરમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ૨૮ લોકોના મોત નીપજ્યા હતા. આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, સેનાના જવાનોએ આતંકવાદીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જ્યાં આતંકવાદીઓ અને સૈનિકો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા.
ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો
ભારતીય સેનાએ બારામુલ્લાના હાજી પીર સેક્ટરમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કર્યો હતો. સેના દ્વારા જપ્ત કરવામાં આવેલા હથિયારો અને દારૂગોળામાં રાઈફલ, જીવતા કારતૂસ, મેગજિન અને પાકિસ્તાની કરન્સી મળી આવી હતી.
માહિતી આપતાં, ભારતીય સેનાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. X પરની એક પોસ્ટમાં, ચિનાર કૉર્પ્સે જણાવ્યું હતું કે ૨૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ, લગભગ ૨-૩ UAH આતંકવાદીઓએ બારામુલ્લા (ઉત્તર કાશ્મીરમાં)ના ઉરી નાલ્લામાં સરજીવાનના સામાન્ય વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.