વક્ફ સુધારા બિલ કાયદા વિરૂધ્ધ થયેલી અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કેન્દ્ર સરકારને આડે હાથ લીધી

આ કાયદામાં ઘણા અપવાદો હોઇ હસ્તક્ષેપ કરવો પડ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવા વકફ કાયદા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઇ છે. કોર્ટમાં ૭૩ અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી ૧૦ અરજીઓ પર સુનાવણી થવાની વાત કહેવામાં આવી હતી. વક્ફ સુધારા કાયદાની માન્યતાને કોર્ટમાં પડકારવામાં આવી છે. અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુધારેલા કાયદા હેઠળ વકફ મિલકતોનું સંચાલન અસામાન્ય રીતે કરવામાં આવશે અને આ કાયદો મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનનની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ કેસની સુનાવણી કરી છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં સુધારો કર્યો હતો, જેનો અમલ કરવામાં આવ્યો છે. આ અંગે કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા છે અને ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ પણ નોંધાઈ છે.

આ મુદ્દે સર્જાયેલી હિંસા એ ગંભીર મામલો :  SC

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર બાદ ૫ એપ્રિલે સંસદમાં ચર્ચા દરમિયાન આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ આ મામલે નોંધ લીધી છે કે, આ મુદ્દે સર્જાયેલી હિંસા એ ખૂબ જ હેરાન કરનારો મામલો છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, સામાન્ય રીતે, જ્યારે કાયદો પસાર થાય છે ત્યારે અમે હસ્તક્ષેપ કરતા નથી, પરંતુ આ કાયદામાં અપવાદો ઘણા છે. અહીં વક્ફ બાય યુઝરના કિસ્સામાં ઘણી ગંભીર સમસ્યાઓ સર્જાશે. વક્ફ બાય યુઝર ૧૯૪૦થી લાગુ છે. સુપ્રીમ કોર્ટે આ સુનાવણીમાં કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બાય યુઝરની સંપત્તિઓને રદ કરવાની કવાયત પર આકરા સવાલો પૂછ્યા હતાં.

CJI એ સ્પષ્ટપણે કહ્યું કે, જો આ સંપત્તિઓને રદ કરવામાં આવશે, તો તે એક મોટો મુદ્દો બની શકે છે. સરકાર તરફથી દલીલ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને CJI  એ પૂછ્યું કે, તમે હજી પણ મારા સવાલનો જવાબ આપી રહ્યા નથી. શું વક્ફ બાય યુઝરની માન્યતા રદ કરવામાં આવશે કે નહીં?  જેના જવાબમાં એસજી મહેતાએ કહ્યું કે, જો સંપત્તિ રજિસ્ટર્ડ છે, તો તે વક્ફ ગણાશે. જેના પર CJI એ કહ્યું કે, વક્ફ બાય યુઝર સંપત્તિઓને રદ કરવામાં આવી તો તે ગંભીર મુદ્દો બનશે.

સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, વક્ફ સંશોધન બિલ પર વિચાર વિમર્શ માટે જેપીસીની રચના કરવામાં આવી હતી. જેમાં ૩૮ બેઠકો યોજાઈ, ૯૨ લાખ બાબતોની તપાસ કરી. લોકસભા અને રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલને મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિએ મહોર લગાવી હતી.  નવા વક્ફ કાયદામાં હવે શિયાને પણ સ્થાન મળશે. પહેલા માત્ર સુન્નીને સ્થાન મળતુ હતું.

કપિલ સિબ્બલે પ્રશ્ન ઉઠાવ્યો કે કાયદામાં કલેક્ટરને કઈ જમીન વકફ છે અને કઈ નથી તે નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. જો કોઈ વિવાદ હશે, તો સરકારનો આ માણસ ર્નિણય લેશે, એટલે કે, તે પોતે જ પોતાના કેસમાં ન્યાયાધીશની ભૂમિકા ભજવશે. આ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.

કપિલ સિબ્બલે વક્ફ કાયદાનો વિરોધ કરતા કહ્યું કે પહેલા ફક્ત મુસ્લિમો જ બોર્ડનો ભાગ બની શકતા હતા પરંતુ હવે હિન્દુઓ પણ તેનો ભાગ બનશે. કલમ ૨૬ કહે છે કે બધા સભ્યો મુસ્લિમ હશે. કાયદાના અમલ પછી, વકફ ડીડ વિના કોઈ વકફ ન બનાવી શકાય. સરકાર કહે છે કે વિવાદના કિસ્સામાં સરકારનો એક અધિકારી તપાસ કરશે. આ ગેરબંધારણીય છે.

વકફ કાયદા વિરુદ્ધ દલીલ કરતાં સિબ્બલે કહ્યું કે આ સંપૂર્ણ સરકારી ટેકઓવર છે. તમે કોણ છો એવું કહેવાવાળા કે હું વકફ બાય યૂઝર ન બની શકું. મુસ્લિમોએ હવે વકફ બનાવવા માટે દસ્તાવેજો રજૂ કરવા પડશે.

વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું કે અરજદારોની દલીલ એ છે કે વક્ફ ઈસ્લામ ધર્મનો આધાર અને ફરજિયાત છે. દાન કરવું ઈસ્લામમાં જરૂરી પ્રથા છે. વક્ફનો સુધારેલો કાયદો રાજ્યની તરફેણમાં છે અને તે ધર્મ પરથી નિયંત્રણ ગુમાવવાનું કારણ બને છે.

વક્ફની મોટાભાગની મિલકતો અને જમીનો ૧૦૦ વર્ષ પહેલા વક્ફ કરવામાં આવી હતી. તો પછી આના પુરાવા ક્યાંથી લાવીશું. આવા મુદ્દાઓ અનેક રાજ્યોમાં સામે આવશે. સુપ્રીમ કોર્ટે આ મામલે ધ્યાન આપવાની જરૂર છે અને ર્નિણય કરવાની જરૂર છે. CJI સંજીવ ખન્નાએ કહ્યું કે સરકારે હિન્દુઓના કિસ્સામાં પણ કાયદો બનાવ્યો છે. સંસદે મુસ્લિમો માટે પણ કાયદા બનાવ્યા છે. કલમ ૨૬ ધર્મનિરપેક્ષ છે. આ બધા સમુદાયોને લાગુ પડે છે.

કોર્ટમાં વકફ કાયદાનો વિરોધ કરતા કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે જાે હું વકફ કરવા માગતો હોઉં તો શું મારે પુરાવા આપવા પડશે કે હું પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યો છું. જાે હું મુસ્લિમ ધર્મમાં જ જન્મ્યો હોઉં તો મારે આ બધું કેમ કરવું પડે?  મારો પર્સનલ લૉ અહીં લાગુ પડશે. આ ૨૬ કરોડ લોકોના અધિકારોનો પ્રશ્ન છે. શું અધિકારીઓ નક્કી કરશે કે કઈ મિલકત કોની છે? આનાથી સરકારી દખલગીરી વધશે. સીજેઆઈએ કહ્યું કે સમય ઓછો છે, તમારે ફક્ત મહત્વપૂર્ણ બાબતો વિશે જ વાત કરવી જાેઈએ. સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન, કપિલ સિબ્બલે કલમ ૨૬ નો હવાલો આપતા કહ્યું કે વકફ કાયદો મુસ્લિમ ઉત્તરાધિકારનું ઉલ્લંઘન કરે છે. વકફ કાયદો ધાર્મિક બાબતોમાં દખલગીરી કરે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.