Last Updated on by Sampurna Samachar
પેટ્રોલ પંપ પર લોકોની ભીડ જામતા IOCL એ કહ્યું
દરેક આઉટલેટ પર LPG અને તેલનો પૂરતો પુરવઠો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જ્યાં પાકિસ્તાને ભારતના વસ્તીવાળા વિસ્તારો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. જેનો ભારતે વળતો જવાબ આપ્યો હતો. આ વચ્ચે પેટ્રોલ પંપની બહાર લાંબી કતારો વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ દેખાઈ રહી છે. આ અંગે IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. દરેક આઉટલેટ પર LPG અને તેલનો પૂરતો પુરવઠો છે.
પંપ પર ભીડ ન કરવા સલાહ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે X પર પોસ્ટ કરી , “ઇન્ડિયન ઓઇલ પાસે દેશભરમાં તેલ અને ગેસનો પૂરતો સ્ટોક છે. અમારી સપ્લાય લાઇન સારી રીતે ચાલી રહી છે. ખરીદી કરવા માટે ગભરાવાની જરૂર નથી. તેલ અને ગેસ અમારા બધા આઉટલેટ્સ પર સરળતાથી ઉપલબ્ધ છે.” કંપનીએ લોકોને પંપ પર ભીડ ન કરવાની સલાહ આપી છે. જેથી લોકોને તેલ અને ગેસ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે.