Last Updated on by Sampurna Samachar
ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે ભારતને લાગણી દર્શાવી
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક તરફ, ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચાલુ છે. બીજી તરફ, સાઉદી અરબના મંત્રીઓ અચાનક ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેરે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે.
ઉલ્લેખનીય છે કે સાઉદી વિદેશ રાજ્યમંત્રીની આ મુલાકાત પહેલાથી જ નક્કી હતી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા સાઇટ X પર આ અંગે એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટ શેર કરતા એસ જયશંકરે લખ્યું, ‘ સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેર સાથે સારી મુલાકાત થઈ.’ આતંકવાદ સામે મજબૂતીથી લડવા માટે ભારતના વિઝનને શેર કર્યું.
આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે ઇઝરાયલ
આ દરમિયાન, ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, ભારતીય દૂતાવાસે લખ્યું છે કે, ‘ ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના પક્ષમાં છે.’ છેલ્લા દાયકામાં, આપણે સરહદ પારના આતંકવાદી હુમલાઓમાં ૩૫૦ થી વધુ નિર્દોષ ભારતીય નાગરિકો ગુમાવ્યા છે. ૬૦૦ થી વધુ સુરક્ષા કર્મચારીઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને ઇઝરાયલ સાથે ઉભા છે.