સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશી નાગરિકે કર્યા ચોંકાવનારા ખુલાસા જુઓ …

Share this Article:

બીજી કોઇ જગ્યાએ મેળ ન પડતાં તેણે સૈફના ઘરે કરી ચોરી

(સંપૂર્ણ સમાચાર સેવા)

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાનો આરોપી બાંગ્લાદેશી નાગરિક હોવાનો ખુલાસો થયો છે ત્યારે આ મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદ ભારતમાં કેવી રીતે પ્રવેશ્યો તે સવાલ ઉઠ્યા છે. મુંબઈ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે બાંગ્લાદેશી નાગરિક સાત મહિના પહેલા દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો અને તેણે મુંબઈ જતા પહેલા સિમ ખરીદવા માટે પશ્ચિમ બંગાળના રહેવાસીના આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તે ડાવકી નદી પાર કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હોવાની માહિતી પણ સામે આવી છે.

એવી શક્યતા છે કે પોલીસ તેને વધુ તપાસ માટે પશ્ચિમ બંગાળ પણ લઈ જઈ શકે છે, જોકે પોલીસે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી. ડાવકી નદી એશિયાની સૌથી સ્વચ્છ નદી છે. તેનું પાણી એટલું સ્પષ્ટ છે કે ઊંડાઈ દેખાઈ આવે છે. તે બંને દેશોની આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શે છે. સૈફ અલી ખાનને છરી મારવા બદલ એની ધરપકડ કરવામાં આવી હતી.

આ હુમલા અને લૂંટફાટ પાછળનું કારણ શરીફુલે એવું જણાવ્યું કે તે અત્યંત ગરીબીને કારણે ગુનામાં પ્રેરાયો હતો, પોલીસે જણાવ્યું હતું કે “તેણે સૈફનું ઘર પ્રિપ્લાન ટાર્ગેટથી નહીં પરંતુ ક્યાંય ન એન્ટ્રી મળી એટલે ત્યાં પ્રવેશ કરી લીધો હતો. તે ઈચ્છતો હતો કે તે કોઈ અમીર વ્યક્તિના ઘરમાં ચોરી કરે અને તેની બીમાર માતાની સારવાર માટે પૈસા લૂંટી પાછો બાંગ્લાદેશ જતો રહે.

એક અધિકારીએ કહ્યું. “ગુના માટે તાત્કાલિક ઉશ્કેરણી એ હતી કે શરીફુલે ૧૫ ડિસેમ્બરે થાણેની એક રેસ્ટોરન્ટમાં હાઉસકીપિંગની નોકરી ગુમાવી દીધી હતી જ્યારે તેને જિતેન્દ્ર પાંડેની માલિકીની મેનપાવર એજન્સી સાથેનો કરાર સમાપ્ત થયો હતો.બાદમાં તે પાયમાલ થઈ ગયો હોય એમ લાગ્યું હતું અને ગુના માટે પ્રેરાયો હતો.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થાણે રેસ્ટોરન્ટમાં જોડાયા તે પહેલાં, શરીફુલે વર્લીની એક રેસ્ટોરન્ટમાં કામ કર્યું હતું, જે મહિને રૂ. ૧૩,૦૦૦ કમાતો હતો. તેણે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે આ રકમમાંથી તે તેની માતાની સારવાર માટે ૧૨,૦૦૦ રૂપિયા બાંગ્લાદેશ મોકલતો હતો, જ્યારે પોતાના માટે માત્ર ૧,૦૦૦ રૂપિયા રાખતો હતો. ઓગસ્ટમાં એક દિવસ, રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે તેને ચોરી કરતાં પકડ્યો અને તેની નોકરી છૂટી ગઈ હતી. માત્ર ધોરણ ૨ સુધી ભણ્યો હોવાથી, તેને થાણે રેસ્ટોરન્ટમાં બીજી નાની નોકરી મળી હતી.

શરીફુલ મેઘાલય ખાતે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ડાવકી નદી પાર કરીને ભારતમાં પ્રવેશ્યો હતો અને તેને આસામ લઈ જવા માટે એજન્ટને રૂ. ૧૦,૦૦૦ ચૂકવ્યા હતા. “એજન્ટે તેને કોલકાતા જવા માટે બસમાં ચડવામાં મદદ કરી, જ્યાં તે મે મહિનામાં મુંબઈની ટ્રેન લેતા પહેલા ત્રણ દિવસ રોકાયો હતો. એજન્ટે તેને સિમ કાર્ડ મેળવવામાં પણ મદદ કરી હતી. મુંબઈમાં તે ત્રણ દિવસ સુધી આમ તેમ ભટક્યો અને રસ્તા પર ઊંઘી રહ્યો હતો. તેણે અન્ય વ્યક્તિ મારફત પાંડે સાથે સંપર્ક કર્યો અને જૂનમાં વર્લી રેસ્ટોરન્ટમાં નોકરી મેળવી હતી.

શહેરમાં તેની બીજી નોકરી ગુમાવ્યા પછી, શરીફુલે ઘરફોડ ચોરી કરવાનું નક્કી કર્યું અને ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીના રોજ બાંદ્રા અને ખારના પૈસાદાર લોકો રહેતા હોય એ ઘરોમાં લૂંટ કરવાના ઈરાદે સર્વે કર્યો હતો. પોલીસે જણાવ્યું કે સૈફ પર હુમલો કરતા પહેલા, શરીફુલ મોડી રાત્રે ૯૦ મિનિટ ચાલીને બાંદ્રા ગયો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે “તેણે સ્ક્રુડ્રાઈવર, હથોડી અને હેક્સો બ્લેડ જેવા હાઉસબ્રેકિંગ સાધનો લીધા હતા, જે તેણે થોડા દિવસો પહેલા ખરીદ્યા હતા. બાદમાં તેણે અભિનેતા પર હુમલો કરવા માટે જે છરીનો ઉપયોગ કર્યો હતો, તે તેણે થાણેની રેસ્ટોરન્ટમાંથી ચોરી કરી હતી જ્યાં તે કામ કરતો હતો.”

“ગુના પછી, દાદર જતી ટ્રેન લેતા પહેલા તે કલાકો સુધી બાંદ્રા-ખારમાં રહ્યો હતો. ત્યાં સુધી તેને જાણ જ નહોતી કે આ ઘટના એક ફેમસ એક્ટરના ઘરમાં બની છે અને તેણે કોઈ અભિનેતાને જાનથી મારી નાખવા માટેનો પ્રયાસ કર્યો છે. તેણે પૂછપરછમાં પણ જણાવ્યું કે સૈફ પર હુમલો કરવાનું કોઈ એનું પ્લાનિંગ નહોતું.

પાંડેએ તેનું વર્લી લોકેશન અને ફોન નંબર આપ્યા બાદ પોલીસે શરીફુલને ટ્રેક કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે “અમને જાણવા મળ્યું કે તેણે વર્લીમાં એક કપ ચા માટે રૂ. ૬ ચૂકવવા ઈવોલેટનો ઉપયોગ કર્યો હતો. તેનું છેલ્લું લોકેશન થાણેના લેબર કેમ્પમાં ટ્રેસ થયું હતું. બાદમાં તેણે ૧૮ જાન્યુઆરીએ ભુર્જી પાવની પ્લેટ માટે ૬૦ રૂપિયા પણ ચૂકવ્યા હતા.”

શરીફુલની પૂછપરછ દરમિયાન પોલીસને જાણ થઈ કે તે શાહરૂખ ખાનનો ફેન હતો અને તેણે સૈફ પર હુમલા પહેલા અભિનેતાના બાંદ્રા બંગલા મન્નતની બાહર પણ જાેવા મળ્યો હતો.

“તેણે કહ્યું કે તેના મિત્રો અને પરિવાર તેને વારંવાર કહેતા કે તે શાહરૂખ ખાન જેવો દેખાય છે. પોલીસે શરીફુલનો મોબાઈલ ફોન, કેપ, સ્કાર્ફ અને તેણે અપરાધ બાદ ચેન્જ કરેલો શર્ટ જપ્ત કર્યો છે. આ વસ્તુઓને ફોરેન્સિક લેબમાં મોકલી દેવામાં આવી છે. પરંતુ સૈફ પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાયેલી છરીનો ગુમ થયેલ ભાગ પોલીસ હજુ સુધી પાછો મેળવી શકી નથી.

મુંબઈ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી બાંગ્લાદેશથી નદી પાર કરી ભારત આવ્યો હતો અને થોડા અઠવાડિયા સુધી પશ્ચિમ બંગાળમાં રહ્યો હતો. આ પછી તે નોકરીની શોધમાં મુંબઈ ગયો હતો. આ માટે તેણે સિમ કાર્ડ ખરીદવા માટે સ્થાનિક વ્યક્તિના આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા સિમ કાર્ડ પશ્ચિમ બંગાળના રહેવાસી ખુકુમોની જહાંગીર સેખાના નામે નોંધાયેલું છે. આરોપીએ આધાર કાર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદે પાછળથી પોતાનું નામ બદલીને વિજય દાસ રાખ્યું હતું. આ પછી તેણે મુંબઈમાં આવી જગ્યાઓ પર કામ કરવાનું પસંદ કર્યું. જ્યાં તેણે દસ્તાવેજો આપવા જરૂરી ન હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અમિત પાંડે નામના લેબર કોન્ટ્રાક્ટરે તેને વર્લી અને થાણેમાં પબ અને હોટલોમાં ઘરકામ કરાવવામાં મદદ કરી હતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.