Last Updated on by Sampurna Samachar
હિઝબુલ્લાહના નવા ચીફે ઈઝરાયલ સામે મૂકી પાંચ આકરી શરતો
બિલકુલ સીધા શબ્દોમાં કહ્યું કે હિઝબુલ્લાહ ઈઝરાયલ સાથે ક્યારેય સીધી વાતચીત કરશે નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
લેબનોનનું આતંકી સંગઠન હિઝબુલ્લાહ ફરી એકવાર ચર્ચામાં છે. હિઝબુલ્લાહના નવા ચીફ શેખ નઈમ કાસિમેસ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈઝરાયલ સાથે સીધી વાતચીત કરવા બિલકુલ તૈયાર નથી. પરંતુ સાથે જ તેમણે ૫શરતો પણ રાખી છે જે પૂરી થવા પર યુદ્ધ રોકાઈ શકે છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લેબનોનમાંસત્તા પર બેઠેલા લોકો પર દબાણ છે કે તેઓ ઈઝરાયલ સાથે ડીલ કરી લે. કાસિમે બિલકુલ સીધા શબ્દોમાંકહ્યું કે હિઝબુલ્લાહ ઈઝરાયલ સાથે ક્યારેય સીધી વાતચીત કરશે નહીં. તેમણે આ વાતને સંપૂર્ણપણે નકારીકાઢી. આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે લેબનોનની સરકાર પર દબાણ છે કે તેઓ વચ્ચે આવીનેકોઈ રસ્તો કાઢે.
કોઈ સમજૂતી કરે જે હિઝબુલ્લાહને નબળું પાડે
કાસિમે લેબનોનમાં સત્તા પર બેઠેલા લોકોને પણ સંભળાવી દીધું. તેમણે કહ્યું કે જે લોકો ઈઝરાયલ અનેઅમેરિકાના કહેવા પર ચાલી રહ્યા છે તેઓ ન તો લેબનોનનું ભલું કરી રહ્યા છે અને ન પોતાનું. તેનો મતલબ છે કેહિઝબુલ્લાહ નથી ઈચ્છતું કે લેબનોનની સરકાર ઈઝરાયલ–અમેરિકાના દબાણમાં આવીને એવો કોઈ સમજૂતી કરે જે હિઝબુલ્લાહને નબળું પાડે.
કાસિમે એમ પણ કહ્યું કે ઈઝરાયલ અને અમેરિકા જે વસ્તુ લેબનોનની સરકાર પાસેથી ઈચ્છે છે તે તેમના વશમાંનથી. અને સરકાર જે ઈઝરાયલ પાસેથી ઈચ્છે છે તે તેમને મળવાનું નથી. એટલે કે બંને તરફથી ડીલ થવાનીતેમને કોઈ આશા નથી.
૫ શરતો શું છે?
કાસિમે યુદ્ધ રોકવાનો એક જ રસ્તો છે બતાવ્યો, તેના માટે નીચે મુજબના ૫ કામ થવા જરૂરી છે.
–પહેલી શરત એ છે કે ઈઝરાયલ જમીન, દરિયા અને આકાશમાંથી હુમલા સંપૂર્ણ રીતે બંધ કરે. એટલે કે દરેકતરફથી હુમલો રોકાવો જાેઈએ.
–બીજી શરત છે કે ઈઝરાયલ તે વિસ્તારોમાંથી પોતાના સૈનિકો હટાવે જે તેણે કબજે કરી રાખ્યા છે.
–ત્રીજી શરત છે કે જે લોકો ઈઝરાયલની જેલોમાં બંધ છે તેમને મુક્ત કરવામાં આવે.
–ચોથી શરત છે કે જે લોકો પોતાના ઘર અને શહેર છોડીને ભાગ્યા છે તેઓ પાછા ફરી શકે તેવી વ્યવસ્થાકરવામાં આવે.
–પાંચમી શરત છે કે જે તબાહી થઈ છે તેનું ફરીથી નિર્માણ કરવામાં આવે એટલે કે પુન:નિર્માણ થાય.