Last Updated on by Sampurna Samachar
રાષ્ટ્રપતિની સત્તા પર પ્રશ્ન ઉઠાવવાનો કોઈ પ્રશ્ન જ નથી
ઉપરાષ્ટ્રપતિએ નિષ્પક્ષતાથી બોલવું જોઈએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેના નિવેદન પર વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ખાલી નામનું પદ છે અને રાજ્યપાલનું પદ પણ એવું જ છે. બંધારણે સુપ્રીમ કોર્ટને કલમ ૧૪૨ ની સત્તા આપી છે.
તેમણે કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિનું નિવેદન સાંભળીને તેમને દુ:ખ અને આશ્ચર્ય થયું છે. તેમણે પાર્ટીના પ્રવક્તાની જેમ ન બોલવું જોઈએ પણ નિષ્પક્ષતાથી બોલવું જોઈએ. કપિલ સિબ્બલે એમ પણ કહ્યું કે, જ્યારે સરકારના લોકોને ન્યાયતંત્રની વાત પસંદ નથી આવતી, ત્યારે તેઓ તેના પર હુમલો કરે છે, અને જ્યારે તેમને તે ગમે છે, ત્યારે તેઓ વિપક્ષને કહે છે કે, આ કોર્ટનો ર્નિણય છે.
આવા નિવેદનો ન્યાયતંત્રના અધિકારો પર હુમલો
ઉપરાષ્ટ્રપતિએ તમિલનાડુ સરકાર વિરુદ્ધ રાજ્યપાલ કેસમાં સુપ્રીમ કોર્ટના ર્નિણય સામે વાંધો ઉઠાવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને લાંબા સમય સુધી પેન્ડિંગ રાખી શકતા નથી. બિલને મંજૂરી આપવા, રોકવા અથવા રાષ્ટ્રપતિને મોકલવાનો ર્નિણય સમયમર્યાદામાં લેવો પડશે, જે બિલને પુનર્વિચારણા માટે સરકારને પાછું મોકલી શકે છે.
જો વિધાનસભા બિલને તેના જૂના સ્વરૂપમાં પાછું પસાર કરે છે, તો રાજ્યપાલ પાસે તેને મંજૂરી આપવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.‘ બંધારણ સુપ્રીમ કોર્ટને કલમ ૧૪૨ ની સત્તા આપે છે. રાષ્ટ્રપતિ એક નામમાત્ર હોદ્દો છે. રાજ્યપાલનું પદ પણ આવું જ છે. રાજ્યપાલ બિલને રોકી શકતા નથી, તે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. જો રાષ્ટ્રપતિ ફક્ત મંત્રીમંડળની સલાહ અને સહયોગથી જ કામ કરે છે, તો રાષ્ટ્રપતિની સત્તા પર પ્રશ્ન ઉઠાવવાનો કોઈ પ્રશ્ન જ નથી.‘
કપિલ સિબ્બલે કહ્યું કે, ‘આવા નિવેદનો ન્યાયતંત્રના અધિકારો પર હુમલો છે. શું રાષ્ટ્રપતિ સંસદ દ્વારા પસાર કરાયેલા બિલને અનિશ્ચિત સમય માટે રોકી શકે છે? આ રીતે વસ્તુઓ કેવી રીતે કામ કરશે? સુપ્રીમ કોર્ટનો ર્નિણય ૨ જજનો હોય કે ૫ જજનો, દરેકે તેને સ્વીકારવો જ પડશે. સ્પીકર ગૃહમાં શાસક અને વિરોધ પક્ષો વચ્ચે બેસે છે અને નિષ્પક્ષ હોય છે. કોઈ પણ પક્ષના પ્રવક્તા તરીકે કામ કરી શકતા નથી.
કપિલ સિબ્બલે ઉપરાષ્ટ્રપતિના નિવેદન પર એમ પણ કહ્યું કે, જો તેમને કોઈ ર્નિણયથી સમસ્યા હોય, તો તેઓ સમીક્ષા દાખલ કરી શકે છે, જે એક પદ્ધતિ છે અથવા તેઓ કલમ ૧૪૩ હેઠળ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ પણ લઈ શકે છે, આ પણ એક પદ્ધતિ છે. જગદીપ ધનખડે કહ્યું હતું કે, કલમ ૧૪૨ લોકશાહી શક્તિઓ વિરુદ્ધ પરમાણુ મિસાઇલ બની ગઈ છે, જેના પર કપિલ સિબ્બલે કહ્યું હતું કે, તે મિસાઇલ નોટબંધી હતી, જેને સરકારે લોકો પર છોડ્યું હતું. કોર્ટના ર્નિણયને મિસાઈલ ન કહો.
કલમ ૧૪૨ સુપ્રીમ કોર્ટને કોઈપણ કેસમાં સંપૂર્ણ ન્યાય કરવાના હેતુથી કોઈપણ આદેશ, નિર્દેશ અથવા હુકમનામું પસાર કરવાની સત્તા આપે છે. કપિલ સિબ્બલે કહ્યું કે, ન્યાયાધીશો જવાબ આપી શકતા નથી, તમે આવા નિવેદનો આપીને તેમને પાઠ ભણાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે, વીરસ્વામીનો ર્નિણય એવો છે જે મુખ્ય ન્યાયાધીશ નક્કી કરશે, શું તમે તેને સ્વીકારતા નથી ?
કપિલ સિબ્બલે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના ઘરેથી મળેલા રોકડના ઢગલાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને પ્રશ્ન કર્યો કે, આ કેસમાં કોઈ ફરિયાદ કેમ નોંધવામાં આવી નથી. જો તમારી પાસે આ બાબતે કોઈ સમાચાર હોય, તો કૃપા કરીને અમને જણાવો, સ્ત્રોત પણ જણાવો. કપિલ સિબ્બલે કહ્યું કે, ‘ગયા વર્ષે અમે ૫૫ સહીઓ એકત્રિત કરી હતી અને હાઇકોર્ટના ન્યાયાધીશ સામે મહાભિયોગની માંગ કરી હતી. ૫ મહિના વીતી ગયા. શું તમે હજુ સુધી સહી ચકાસી રહ્યા છો? શું આ ગતિ છે?
તેમણે કહ્યું કે, જો કારોબારી પોતાનું કામ નહીં કરે તો ન્યાયતંત્ર હસ્તક્ષેપ કરશે. ભૂતપૂર્વ CJI રંજન ગોગોઈનું નામ લીધા વિના, તેમણે કહ્યું કે, જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સામે આરોપો લગાવવામાં આવ્યા હતા, ત્યારે તમે ફરિયાદની માંગ કેમ ન કરી, ત્યારે કોર્ટે કહ્યું કે, બધું સાચું છે અને તમે તેને સ્વીકાર્યું. સિબ્બલે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જ્યારે તેમણે સાંપ્રદાયિક વાતો કહી હતી, ત્યારે તમે ફરિયાદની માંગણી નહોતી કરી.
ઉપરાષ્ટ્રપતિએ કોર્ટના ર્નિણયની આકરી ટીકા કરી અને કહ્યું કે, ભારતમાં ક્યારેય એવું લોકશાહી રહ્યું નથી, જ્યાં ન્યાયાધીશો કાયદા નિર્માતાઓ, કારોબારી અથવા સુપર પાર્લામેન્ટ તરીકે કામ કરતા હોય. તેમણે કહ્યું કે, આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ ન કરી શકીએ, જ્યાં અદાલતો રાષ્ટ્રપતિને સૂચના આપે.
આ અંગે કપિલ સિબ્બલે કહ્યું કે, તેઓ ઉપરાષ્ટ્રપતિનું સન્માન કરે છે, પરંતુ તેમણે આ ન કહેવું જાેઈએ. તેમણે કહ્યું કે, ‘બંધારણ સુપ્રીમ કોર્ટને કલમ ૧૪૨ ની સત્તા આપે છે. રાષ્ટ્રપતિ એક નામમાત્ર હોદ્દો છે. રાજ્યપાલનું પદ પણ આવું જ છે. રાજ્યપાલ બિલને રોકી શકતા નથી, તે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. જાે રાષ્ટ્રપતિ ફક્ત મંત્રીમંડળની સલાહ અને સહયોગથી જ કામ કરે છે, તો રાષ્ટ્રપતિની સત્તા પર પ્રશ્ન ઉઠાવવાનો કોઈ પ્રશ્ન જ નથી.‘
કપિલ સિબ્બલે કહ્યું કે, ‘આવા નિવેદનો ન્યાયતંત્રના અધિકારો પર હુમલો છે. શું રાષ્ટ્રપતિ સંસદ દ્વારા પસાર કરાયેલા બિલને અનિશ્ચિત સમય માટે રોકી શકે છે? આ રીતે વસ્તુઓ કેવી રીતે કામ કરશે? સુપ્રીમ કોર્ટનો ર્નિણય ૨ જજનો હોય કે ૫ જજનો, દરેકે તેને સ્વીકારવો જ પડશે. સ્પીકર ગૃહમાં શાસક અને વિરોધ પક્ષો વચ્ચે બેસે છે અને નિષ્પક્ષ હોય છે. કોઈ પણ પક્ષના પ્રવક્તા તરીકે કામ કરી શકતા નથી.
કપિલ સિબ્બલે ઉપરાષ્ટ્રપતિના નિવેદન પર એમ પણ કહ્યું કે, જાે તેમને કોઈ ર્નિણયથી સમસ્યા હોય, તો તેઓ સમીક્ષા દાખલ કરી શકે છે, જે એક પદ્ધતિ છે અથવા તેઓ કલમ ૧૪૩ હેઠળ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ પણ લઈ શકે છે, આ પણ એક પદ્ધતિ છે. જગદીપ ધનખડે કહ્યું હતું કે, કલમ ૧૪૨ લોકશાહી શક્તિઓ વિરુદ્ધ પરમાણુ મિસાઇલ બની ગઈ છે, જેના પર કપિલ સિબ્બલે કહ્યું હતું કે, તે મિસાઇલ નોટબંધી હતી, જેને સરકારે લોકો પર છોડ્યું હતું. કોર્ટના ર્નિણયને મિસાઈલ ન કહો.
કલમ ૧૪૨ સુપ્રીમ કોર્ટને કોઈપણ કેસમાં સંપૂર્ણ ન્યાય કરવાના હેતુથી કોઈપણ આદેશ, નિર્દેશ અથવા હુકમનામું પસાર કરવાની સત્તા આપે છે. કપિલ સિબ્બલે કહ્યું કે, ન્યાયાધીશો જવાબ આપી શકતા નથી, તમે આવા નિવેદનો આપીને તેમને પાઠ ભણાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે, વીરસ્વામીનો ર્નિણય એવો છે જે મુખ્ય ન્યાયાધીશ નક્કી કરશે, શું તમે તેને સ્વીકારતા નથી?
કપિલ સિબ્બલે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના ઘરેથી મળેલા રોકડના ઢગલાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને પ્રશ્ન કર્યો કે, આ કેસમાં કોઈ હ્લૈંઇ કેમ નોંધવામાં આવી નથી. જાે તમારી પાસે આ બાબતે કોઈ સમાચાર હોય, તો કૃપા કરીને અમને જણાવો, સ્ત્રોત પણ જણાવો. કપિલ સિબ્બલે કહ્યું કે, ‘ગયા વર્ષે અમે ૫૫ સહીઓ એકત્રિત કરી હતી અને હાઇકોર્ટના ન્યાયાધીશ સામે મહાભિયોગની માંગ કરી હતી. ૫ મહિના વીતી ગયા. શું તમે હજુ સુધી સહી ચકાસી રહ્યા છો? શું આ ગતિ છે?
તેમણે કહ્યું કે, જાે કારોબારી પોતાનું કામ નહીં કરે તો ન્યાયતંત્ર હસ્તક્ષેપ કરશે. ભૂતપૂર્વ ઝ્રત્નૈં રંજન ગોગોઈનું નામ લીધા વિના, તેમણે કહ્યું કે, જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સામે આરોપો લગાવવામાં આવ્યા હતા, ત્યારે તમે હ્લૈંઇ ની માંગ કેમ ન કરી, ત્યારે કોર્ટે કહ્યું કે, બધું સાચું છે અને તમે તેને સ્વીકાર્યું. સિબ્બલે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જ્યારે તેમણે સાંપ્રદાયિક વાતો કહી હતી, ત્યારે તમે હ્લૈંઇની માંગણી નહોતી કરી.