Last Updated on by Sampurna Samachar
કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દળ તૈનાત કરાયું
ગુસ્સે ભરાયેલા ટોળાએ કેટલીક ચોક્કસ સમુદાયની દુકાનોમાં કરી તોડફોડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડ નૈનીતાલ શહેરના મલ્લીતાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર બાળકી પર આધેડ મુસ્લિમ દ્વારા દુષ્કર્મની ઘટનાને લઈને લોકોમાં રોષ ભભુક્યો છે. જેને લઇને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે PAC ની બે કંપનીઓ અને ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
વાત કરીએ તો આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી ઉસ્માન ઠેકેદારને કોર્ટમાં રજૂ કરાયો હતો. આ ઘટનાના વિરોધમાં, તલ્લીતલ બજાર બપોરે ૧૨ વાગ્યા સુધી બંધ રહ્યું. જ્યારે મલ્લીતાલ બિઝનેસ બોર્ડ દ્વારા હાલમાં કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે ગુસ્સે ભરાયેલા ટોળાએ મલ્લીતલ ગરીબાવ વિસ્તારમાં એક ચોક્કસ સમુદાયની દુકાનોમાં તોડફોડ કરી હતી.
SP જગદીશ ચંદ્ર દ્વારા માહિતી અપાઇ
જોકે પોલીસ સ્ટેશન નજીક ધાર્મિક સ્થળ તરફ આગળ વધી રહેલી હિંસક ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો , પરંતુ થોડીવાર પછી, ભીડનું વલણ જોઈને, પોલીસ પાછળ હટી ગઈ હતી. આ પછી, ગુસ્સે ભરાયેલા ટોળાનો અંધાધૂંધ મધ્યરાત્રિ સુધી ચાલુ રહ્યો. SP જગદીશ ચંદ્રના જણાવ્યા અનુસાર, શહેરમાં શાંતિ જાળવવા માટે PAC અને વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. હાલમાં શહેરમાં શાંતિ છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.