નાગપુરમાં ફાટેલી હિંસાના માસ્ટર માઇન્ડનો ફોટો પોલીસે જાહેર કર્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

નીતિન ગડકરી વિરુદ્ધ લડી હતી ચૂંટણી

ભડકાઉ ભાષણના પગલે હિંસા થઇ હોવાનો દાવો

(સંપૂર્ણ સમાચાર સેવા)

નાગપુરમાં ભડકેલી હિંસા બાદ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ શહેરના ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યુ ચાલુ રાખવામાં આવ્યો છે. દરમિયાન નાગપુર પોલીસે ફહીમ શમીમ ખાનનો પહેલો ફોટો જાહેર કર્યો છે.  ફહીમ ૧૭ માર્ચે શહેરમાં થયેલી સાંપ્રદાયિક હિંસાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા છે.

પોલીસે જણાવ્યું હતું કે, ફહીમ ખાન  MDP ના શહેર પ્રમુખ છે અને નાગપુર (NAGPUR) ના યશોધરા નગરમાં સંજય બાગ કોલોનીમાં રહે છે. સાંપ્રદાયિક અથડામણના સંબંધમાં નોંધાયેલી ફરિયાદમાં તેનું નામ સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફહીમ ખાને કથિત રીતે અથડામણ શરૂ થયાના થોડા સમય પહેલા જ ભડકાઉ ભાષણ આપ્યું હતું. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમના ભાષણથી વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરવામાં આવ્યો હતો, જેના કારણે હિંસા થઈ હતી.

હિંસામાં ૩0 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ

વધુમાં જાણવા મળ્યું છે કે, ફહીમ ખાને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી નાગપુર બેઠક પરથી લઘુમતી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે લડી હતી. તેઓ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ૬.૫ લાખથી વધુ મતોના જંગી અંતરથી હારી ગયા હતા. નાગપુરના પોલીસ કમિશ્નર રવિન્દ્ર કુમાર સિંઘલે કહ્યું કે બપોર પછી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

જ્યારે અન્ય એક અધિકારીએ કહ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં બે હજારથી વધુ સશસ્ત્ર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. એ જ રીતે, નાયબ પોલીસ કમિશનર રેન્કના અધિકારીની આગેવાની હેઠળ ક્વિક રિએક્શન ટીમ (QRT) અને રાયોટ કંટ્રોલ પોલીસ (RCP) દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર રાત્રે લગભગ ૭.૩૦ વાગ્યે મધ્ય નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઔરંગઝેબની કબરને હટાવવાની માંગણી કરતા જમણેરી સંગઠન દ્વારા પ્રદર્શન દરમિયાન એક સમુદાયના ધાર્મિક ગ્રંથને બાળવામાં આવ્યો હોવાની અફવાને પગલે હિંસા ફેલાઈ હતી.

હિંસામાં ૩૪ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ પછી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, જેના કારણે લોકો અને વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કોતવાલી, ગણેશપેઠ, તહેસીલ, લક્કડગંજ, પચપાવલી, શાંતિ નગર, સક્કરદરા, નંદનવન, ઈમામવાડા, યશોધરા નગર અને કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા વિસ્તારોમાં કર્ફ્યુ હવે અસરકારક છે.

પોલીસે કહ્યું કે કર્ફ્યુ દરમિયાન સંબંધિત વિસ્તારોના ડેપ્યુટી પોલીસ કમિશનર રસ્તાઓ પર વાહનોની અવરજવર અંગે ર્નિણય લેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રે થયેલી હિંસામાં ત્રણ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સહિત ૧૨ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પથ્થરમારો અને આગચંપી કરવાના કેસમાં અત્યાર સુધીમાં લગભગ ૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.