Last Updated on by Sampurna Samachar
મૃતદેહોને તાત્કાલિક સ્વદેશ પરત મોકલવાની ખાતરી
તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયામાં સૌથી સુરક્ષિત ગણાતા દુબઈમાં બે ભારતીયોની હત્યાના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, દુબઈમાં તેલંગાણાના બે મજૂરોની પાકિસ્તાનીઓએ હત્યા કરી નાખી છે. બે પીડિત પરિવારોના સભ્યોએ દાવો કર્યો કે, દુબઈની એક બેકરીમાં એક પાકિસ્તાની નાગરિકે ધાર્મિક નારા લગાવતા હુમલો કર્યો. હુમલામાં તેલંગાણાના બે લોકોના મૃત્યુ થઈ ગયા અને ત્રીજો ઘાયલ થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ ર્નિમલ જિલ્લાના સોન ગામના અષ્ટપુ પ્રેમસાગરની ૧૧ એપ્રિલના રોજ તલવાર વડે હત્યા કરવામાં આવી હતી એમ મૃતકોમાંથી એકના સગાંએ જણાવ્યું હતું. આ કથિત ઘટના તે બેકરીમાં બની હતી જ્યાં પીડિતો કામ કરતા હતા. પોશેટ્ટીએ જણાવ્યું હતું કે પ્રેમસાગરના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. તેમના પરિવારના સભ્યોને આ અંગે જાણ કરવામાં આવી નથી.
વિદેશ મંત્રીએ પરિવાર સાથે વાત કરી
તેમણે સરકારને તેમના મૃતદેહને ભારત લાવવામાં મદદ કરવા વિનંતી કરી. દરમિયાન, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે બીજા મૃતકનું નામ શ્રીનિવાસ હતું, જે નિઝામાબાદ જિલ્લાનો રહેવાસી હતો. દરમિયાન, હુમલામાં ઘાયલ થયેલા વ્યક્તિની પત્ની ભવાનીએ નિઝામાબાદ જિલ્લામાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમના પતિ સાગરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય મંત્રી રેડ્ડીએ કહ્યું કે દુબઈમાં તેલંગાણાના બે તેલુગુ યુવાનો, ર્નિમલ જિલ્લાના અષ્ટપુ પ્રેમસાગર અને નિઝામાબાદ જિલ્લાના શ્રીનિવાસની ક્રૂર હત્યાથી તેઓ ખૂબ જ આઘાત પામ્યા છે. આ બાબતે માનનીય વિદેશ મંત્રી એસ જયશંકર જી સાથે વાત કરી અને તેમણે શોકગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહાય અને મૃતદેહોને તાત્કાલિક સ્વદેશ પરત મોકલવાની ખાતરી આપી છે.
જયશંકરનો તેમની મદદ બદલ આભાર માનતા તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલય પણ આ કેસમાં ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે કામ કરશે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે શોક વ્યક્ત કરતા કહ્યું કે તેમણે વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે વાત કરી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ તેમના સંપર્કમાં છે.