Last Updated on by Sampurna Samachar
ભારત પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ
આફ્રિદીએ ભારતીય મીડિયા પર પણ નિશાન સાધ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ભારત સરકાર અને સેના પર ગંભીર આરોપ લગાવી ઝેર ઓંક્યુ છે. શાહિદ આફ્રિદીએ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે આરોપ લગાવ્યો છે. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, જેમાં નિર્દોષ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આફ્રિદીએ આ હુમલા બાદ ભારતીય સેનાના પ્રતિભાવ પર સવાલ ઉઠાવ્યા છે અને ભારત પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ લગાવ્યો છે.
શાહિદ આફ્રિદીએ પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આતંકવાદીઓ એક કલાક સુધી પહલગામમાં લોકોને મારી રહ્યા હતા, પરંતુ ૮ લાખ ભારતીય સૈનિકોમાંથી એક પણ ત્યાં પહોંચ્યો નહીં. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે સૈનિકો પહોંચ્યા. આફ્રિદીએ ભારત પર પોતાના જ લોકોને મારી નાખવાનો અને પછી પાકિસ્તાન પર દોષારોપણ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોઈ પણ દેશ કે ધર્મ આતંકવાદનું સમર્થન કરતો નથી. ઇસ્લામ અમને શાંતિ શીખવે છે, અને પાકિસ્તાન ક્યારેય આવા કૃત્યોનું સમર્થન કરતું નથી.
આફ્રિદીના નિવેદનથી તણાવ વધવાની શક્યતા
આફ્રિદીએ ભારત સાથેના સંબંધો સુધારવાની પણ વાત કરી હતી. ૨૦૧૬ ના T૨૦ વર્લ્ડ કપનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ભારતની યાત્રા કરતા પહેલા તેમને ઘણી ધમકીઓ મળી હતી. તે સમયે તે ટીમનો કેપ્ટન હતો અને તેને ખબર નહોતી કે, તે ભારત જઈ શકશે કે નહીં.
રમતગમતને પ્રોત્સાહન આપવા વિશે વાત કરતા આફ્રિદીએ કહ્યું કે, ભારત પોતાની કબડ્ડી ટીમ પાકિસ્તાન મોકલે છે પણ ક્રિકેટ ટીમ મોકલતું નથી. તેણે કહ્યું કે, જો તમારે તેને બંધ કરવું હોય તો તેને સંપૂર્ણપણે બંધ કરો, અથવા ચાલું રાખવું હોય તો સંપૂર્ણ રમત ચાલુ રહેવા દો. આફ્રિદીએ ભારતીય મીડિયા પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આતંકવાદી હુમલાના કવરેજને વાહિયાત ગણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, આશ્ચર્યજનક છે કે હુમલાના એક કલાકમાં જ તેમનું મીડિયા બોલીવુડ બની ગયું છે. ખુદાની ખાતર, બધું જ બોલીવુડ ન બનાવો. આફ્રિદીએ આગળ કહ્યું કે, મને ચોંકી ગયો, તેના બદલે હું તેની વાત કરવાની રીતનો આનંદ આવી રહ્યો હતો. આફ્રિદીના આ નિવેદનોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધી શકે છે. અહીં ભારતમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ આફ્રિદીને જોકર ગણાવ્યો છે.