Last Updated on by Sampurna Samachar
મહિલાઓ પર હોટલમાં આવવા દબાણ કરાતું!
મહિલાઓ જ્યારે તહેવારો પર સાડી કે બિંદી લગાવીને આવતી ત્યારે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવતી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના નાસિક યુનિટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર કોર્પોરેટ જગતને હચમચાવી દીધું છે. કંપનીના ભૂતપૂર્વ મહિલાકર્મચારીઓએ ટીમ લીડર્સ પર માનસિક ઉત્પીડન, યૌન શોષણ અને પદ્ધતિસરનું ધર્મ પરિવર્તનનુંસિન્ડિકેટ ચલાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.

એક ભૂતપૂર્વ મહિલા કર્મચારીએ એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે, ટીમ લીડર્સ ઓફિસ ડેસ્કનો ઉપયોગ કામ માટે નહીં, પરંતુ મહિલા કર્મચારીઓના માનસિક અનેનૈતિક શોષણ માટે કરતા હતા. મહિલાઓને TL ડેસ્ક પર બોલાવીને એવી ગંદી અને અશ્લીલ ભાષામાં વાતકરવામાં આવતી જેની કોઈ વ્યાવસાયિક ઓફિસમાં કલ્પના પણ ન કરી શકાય.
રિસોર્ટ બુક કરતા હતા અને યુવતીઓ પર ત્યાં આવવા માટે દબાણ કરતા?
મુખ્ય આરોપી તૌસીફ અત્તાર હિન્દુ ધર્મ અને પરંપરાઓની મજાક ઉડાવતો હતો. મહિલાઓ જ્યારે તહેવારો પરસાડી કે બિંદી લગાવીને આવતી ત્યારે તેમના પહેરવેશ અને ધર્મ પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. સુરક્ષાના નામે કર્મચારીઓના ફોન, બેગ અને લંચ બોક્સ પણ ઓફિસ ફ્લોરની બહાર રખાવવામાં આવતાહતા, જેથી અંદર થતી પ્રવૃત્તિઓ ઓફ ધ રેકોર્ડ રહે.
મહિલા કર્મચારીએ એવો પણ દાવો કર્યો કે, કૃષ્ણા નામનાએક સાથીદાર, જે રૂદ્રાક્ષની માળા પહેરતા હતા, તેમનું ધર્મ પરિવર્તન કરાવી દેવાયું હતું. અન્ય આરોપીઓડેનિશ અને રઝા ઓફિસમાં બેસીને જ વીકેન્ડ માટે હોટેલ્સ અને રિસોર્ટ બુક કરતા હતા અને યુવતીઓ પર ત્યાંઆવવા માટે દબાણ કરતા હતા.
નાસિક પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. ફેબ્રુઆરી ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૬ દરમિયાન થયેલા શોષણ મામલે ૮ મહિલાઓએ ફરિયાદ નોંધાવી છે. અત્યારસુધીમાં ૭ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. TCS એ આ તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધાછે. જ્યારે અન્ય એક મહિલા કર્મચારી હાલ ગુમ હોવાનું જાણવા મળ્યું છે.
ધરપકડ કરાયેલા આરોપીઓ
ડેનિશ શેખ
તૌસીફ અત્તાર
રઝા મેમણ
શાહરૂખ કુરેશી
શફી શેખ
આસિફ આફતાબ અંસારી
નિદા ખાન (ૐઇ મેનેજર)
આ મામલે એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને છેતરપિંડીથી થતા ધર્મ પરિવર્તનપર અંકુશ લાવવાની માંગ કરી છે. અરજીમાં જણાવાયું છે કે નાસિકની આ ઘટનાએ દેશના નાગરિકોનાઅંતરાત્માને હચમચાવી દીધો છે અને તે રાષ્ટ્રીય અખંડિતતા માટે ખતરો છે.