Last Updated on by Sampurna Samachar
આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની કાર્યસમિતિની બેઠકનુ આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામમાં આતંકી હુમલાની કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આકરા શબ્દોમાં ટીકા કરી છે. સોશિયલ સાઈટ એક્સ પર ખડગેએ લખ્યું કે, ” જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી નાખી છે. તેનાથી, આતંકી હુમલાથી તેમને ઊંડો આઘાત લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટી કડક શબ્દોમાં આ કાયરતાપૂર્ણ ઘટનાની નિંદા કરે છે. તેમણે કહ્યું કે, આતંકીઓનો આ હુમલો આપણા દેશની અખંડિતતા અને એકતા પર કાયરતાપૂર્ણ હુમલો છે.”
તેમણે કહ્યું કે, “વર્ષ ૨૦૦૦ માં છત્તીસગઢપુરામાં આતંકી હુમલો થયો હતો, તેના ૨૫ વર્ષ બાદ આટલો મોટો હુમલો થયો છે. જે પણ નિર્દોષ નાગરિકોને મારે છે, તે ક્યારેય માણસ હોઈ શકે નહીં ” ખડગેએ લખ્યું કે, “તેમણે કાલે રાતે ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને જમ્મુ કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે આ મુદ્દા પર વાતચીત કરી છે.”
આતંકી હુમલાથી સ્થાનિક અર્થવ્યવસ્થામાં ભારે નુકસાન
ખડગેએ કહ્યું કે, “આતંકી હુમલાને લઈને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની કાર્યસમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થશે,” ખડગેએ સ્પષ્ટ કહ્યું કે, ” આ સમયે કોઈ રાજનીતિનો નથી. આ હુમલામાં જે પર્યટકો માર્યા ગયા છે, તેમને ન્યાય અપાવવાનો સમય છે.” ખડગેએ કહ્યું કે, “તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી સાથે વાત કરી અનુરોધ કર્યો કે, જે પણ પર્યટક ત્યાંથી પરત ફરવા માંગે છે, તેમને પરત ફરવાની વ્યવસ્થા કરો. તેમણે આ અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી છે.”
તેમણે કહ્યું કે, ” ગરમી હજુ શરૂ થઈ છે અને આ સમયે પર્યટકો ત્યાં જવાનું શરૂ કરે છે. આ જમ્મુ કાશ્મીરની અર્થવ્યવસ્થા અને ત્યાંના લોકોની આવકનું સાધન છે. આ આતંકી હુમલાથી ત્યાંની સ્થાનિક અર્થવ્યવસ્થામાં ભારે નુકસાન થશે. તેથી જરૂરી છે કે ભારત સરકાર તેમની મદદ કરે. આ સમય, આપણા બધા એક છીએ. અમે આતંકવાદ વિરુદ્ધ એકજૂટ છીએ.”તેમણે કહ્યું કે, “આ હુમલાથી આખો દેશ સ્તબ્ધ છે. પાકિસ્તાની આતંકવાદી સંગઠને આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. તેનો જડબાતોડ જવાબ આપવો જોઈએ. તેઓ સરકારને અપીલ કરે છે કે, બધી તાકાત લગાવી આતંકવાદીઓને શોધી કાઢો.”