Last Updated on by Sampurna Samachar
એક એક વર્ષથી રહેતાં આંતકીઓનો ઘર તોડી પડાયા
કુલ ૯ ઘરોને ઉડાવી દેવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હિન્દુઓના નરસંહાર બાદ સુરક્ષા દળો સંપૂર્ણ કાર્યવાહીમાં છે. કાશ્મીર (KASHMIR) ખીણમાં આતંકવાદીઓનો ખાત્મો શરૂ થઈ ગયો છે. પુલવામાંના ત્રાલમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આમિર નઝીરનું ઘર તોડી પાડવામાં આવ્યું. તેમજ પુલવામાના ખાસીપોરામાં જૈશના આતંકવાદી અમીર નઝીર વાનીના ઘરને ઉડાવી દેવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં કાશ્મીર ખીણમાં આતંકવાદીઓના કુલ ૯ ઘરોને ઉડાવી દેવામાં આવ્યા છે. આ પહેલા શોપિયા જિલ્લાના વાંદીના વિસ્તારમાં આતંકવાદી અદનાન શફીનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. અદનાન શફી લગભગ એક વર્ષ પહેલા લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. આ પહેલા કુપવાડામાં આતંકવાદી ફારૂક અહેમદના ઘરને ઉડાવી દેવામાં આવ્યું હતું. તેમજ અત્યાર સુધીમાં કાશ્મીર ખીણમાં કુલ ૯ આતંકવાદીઓના ઘરો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
૨ આતંકવાદી સહાયકોની ધરપકડ કરવામાં આવી
પહલગામમાં હિન્દુઓના નરસંહાર બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક તોડવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. શ્રીનગરમાં આતંકવાદી સહાયકોના ૬૪ સ્થળો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે કુલગામમાંથી ૨ આતંકવાદી સહાયકોની ધરપકડ કરવામાં આવી છે.
એવું કહેવાય છે કે પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને કાશ્મીરમાં જ હાજર ૧૫ ઓવરગ્રાઉન્ડ વર્કર્સે મદદ કરી હતી. આ મદદગારોની ઓળખ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે કરવામાં આવી છે. અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ લોકોએ હુમલાખોરોને લોજિસ્ટિક્સ પૂરું પાડ્યું હતું અને સંભવત: પાકિસ્તાનથી શસ્ત્રોનો માલ પણ મેળવ્યો હતો.
બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પહલગામ આતંકવાદી હુમલાની તપાસ NIA ને સોંપી દીધી છે. હવે NIA જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી પહેલગામ કેસની ડાયરી અને NIA લેશે. તેમજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને તોડવા માટે એક મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શ્રીનગરમાં આતંકવાદી સહાયકોના ૬૪ સ્થળો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે કુલગામમાંથી ૨ આતંકવાદી સહાયકોની ધરપકડ કરવામાં આવી છે.