વડાપ્રધાન મોદીએ બિહારની ધરતી પરથી જુઓ શુ બોલ્યા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બિહારમાં કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરાયું

આતંકવાદીઓને ઓળખશે, શોધી કાઢશે અને સજા કરશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

પહલગામમાં આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, ” સમગ્ર દેશ બિહારના મિથિલા સાથે જાડાયેલો છે. આજે, દેશ અને બિહારના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન અહીં કરવામાં આવ્યું છે. વીજળી, રેલ્વે, માળખાગત સુવિધાઓના આ વિવિધ કાર્યો બિહાર (BIHAR) માં રોજગારની નવી તકો ઉભી કરશે. રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરની પુણ્યતિથિ પણ છે, હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું ”

PM મોદીએ વધુમાં કહ્યું, ” બિહાર એ ભૂમિ છે જ્યાંથી પૂજ્ય બાપુએ સત્યાગ્રહનો મંત્ર ફેલાવ્યો હતો. પૂજ્ય બાપુ દ્રઢપણે માનતા હતા કે જ્યાં સુધી તેના ગામડા મજબૂત નહીં થાય ત્યાં સુધી ભારત ઝડપથી વિકાસ કરી શકશે નહીં. દેશમાં પંચાયતી રાજની વિભાવના પાછળની આ ભાવના છે.

પંચાયતો ડિજિટલ થવાનો એક ફાયદો

છેલ્લા દાયકામાં, પંચાયતોને સશક્ત બનાવવા માટે એક પછી એક પગલાં લેવામાં આવ્યા છે. ટેકનોલોજી દ્વારા પંચાયતોને પણ મજબૂત બનાવવામાં આવી છે.” PM મોદીએ કહ્યું, ‘છેલ્લા દાયકામાં, ૨ લાખથી વધુ ગ્રામ પંચાયતો ઇન્ટરનેટ સાથે જોડાયેલી હતી. ગામડાઓમાં ૫.૫૦ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવ્યા છે.

પંચાયતો ડિજિટલ થવાનો બીજો એક ફાયદો પણ છે. હવે જન્મ/મૃત્યુ પ્રમાણપત્ર, જમીન ધારણ પ્રમાણપત્ર વગેરે જેવા ઘણા દસ્તાવેજો સરળતાથી મેળવી શકાય છે. તેમણે વધુમાં કહ્યું, ‘આઝાદીના ઘણા દાયકાઓ પછી, જ્યારે દેશને એક નવું સંસદ ભવન મળ્યું, ત્યારે દેશમાં ૩૦ હજાર નવા પંચાયત ભવન પણ બનાવવામાં આવ્યા. સરકારની પ્રાથમિકતા એ પણ રહી છે કે પંચાયતોને પૂરતું ભંડોળ મળે. છેલ્લા ૧૦ વર્ષમાં, પંચાયતોને ૨ લાખ કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ મળ્યું છે. આ બધા પૈસા ગામડાઓના વિકાસમાં રોકાણ કરવામાં આવ્યા છે.

પોતાના સંબોધનમાં પણ PM નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે, દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે, આ હુમલો કરનારા આતંકવાદીઓ અને તેની પાછળ કાવતરું ઘડનારાઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. હવે સમય આવી ગયો છે કે, આતંકવાદીઓ પાસે જે કંઈ પણ નાનું-મોટુ મેદાન બચ્યું છે તેનો નાશ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ૨૨ એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી નિર્દોષ નાગરિકોની હત્યા કરી તેનાથી સમગ્ર રાષ્ટ્ર દુ:ખી છે. બધા દુ:ખી છે. દેશ તમામ અસરગ્રસ્ત પરિવારોની સાથે ઉભો છે. સરકાર એ પણ સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો કરી રહી છે કે, સારવાર હેઠળ રહેલા પરિવારના સભ્યો જલ્દી સ્વસ્થ થાય. આ આતંકવાદી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાનો જીવનસાથી ગુમાવ્યો છે. તે બધા અલગ અલગ સ્થળોના હતા.

‘બિહારની ભૂમિ પરથી, હું આખી દુનિયાને કહું છું કે ભારત દરેક આતંકવાદી અને તેના સાથીદારોને ઓળખશે, શોધી કાઢશે અને સજા કરશે.‘ આપણે તેમને પૃથ્વીના ગમે તે ખુણામાં જશે તો પણ છોડવાના નથી. આતંકવાદથી ભારતનો આત્મા તૂટી જવાનો નથી. ન્યાય થશે અને આ માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે. આ મુદ્દા પર આખો દેશ એક સાથે ઉભો છે. માનવતામાં વિશ્વાસ રાખનારા દરેક વ્યક્તિ આપણી સાથે ઉભો છે. હું દુનિયાના દેશોના લોકો અને નેતાઓનો આભાર માનું છું જેઓ આપણી સાથે ઉભા છે.

પહેલગામ આતંકવાદી હુમલા પછી, PM નરેન્દ્ર મોદીએ બિહારની ધરતી પરથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકના માસ્ટર્સને સીધો સંદેશ આપ્યો. PM મોદીએ મધુબનીમાં સૌપ્રથમ હાથ જોડીને અને આંખો બંધ કરીને પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદી તેમના ભાષણ દરમિયાન મોટાભાગનો સમય હિન્દીમાં બોલતા હતા, પરંતુ જ્યારે પહેલગામ પર દુનિયાને સંદેશ આપવાની વાત આવી ત્યારે તેમણે અંગ્રેજીનો સહારો લીધો. તમે ઉપર વાંચેલી આક્રમક વાતો PM મોદીએ જાણી જોઈને અંગ્રેજીમાં કહી હતી જેથી તેમનો સંદેશ વિશ્વ સુધી સ્પષ્ટ અને સચોટ રીતે પહોંચે.

PM મોદીએ વધુમાં કહ્યું કે, તેમાંથી કેટલાક બંગાળી બોલતા હતા, કેટલાક કન્નડ બોલતા હતા, કેટલાક મરાઠી હતા, કેટલાક ઉડિયા હતા અને કેટલાક બિહારના હતા. કારગિલથી કન્યાકુમારી સુધી, તે બધા લોકોના મૃત્યુ પર આપણું દુ:ખ સમાન છે. આપણો ગુસ્સો પણ એ જ છે. નિ:શસ્ત્ર પ્રવાસીઓ પર એક પણ હુમલો થયો નથી. દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે, આ હુમલો કરનારા આતંકવાદીઓ અને આ હુમલાનું કાવતરું ઘડનારાઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. સજા એકસાથે આપવામાં આવશે. હવે આતંકવાદીઓની બાકી રહેલી જમીનનો નાશ કરવાનો સમય આવી ગયો છે. ૧૪૦ કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ હવે આતંકના માસ્ટર્સની કમર તોડી નાખશે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.