Last Updated on by Sampurna Samachar
ખાર પોલીસે કુણાલને નોટિસ મોકલી સમન્સ પાઠવ્યા
હું પોલીસ અને કોર્ટ સાથે સહયોગ કરીશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કોમેડિયન કુણાલ કામરાની ટિપ્પણી પર હોબાળો સતત વધી રહ્યો છે. ખાર પોલીસે કુણાલને નોટિસ મોકલી સમન્સ પાઠવ્યા હતા. તેની પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. જોકે, કુણાલ ટસનો મસ થઈ રહ્યો નથી. તેણે નાણાં મંત્રી ર્નિમલા સીતારમણ પર વધુ એક પેરોડી બનાવી દીધી છે.
મુંબઈ (MUMBAI) પોલીસે જણાવ્યું કે, કુણાલ કામરાને સમન્સ મોકલવામાં આવ્યા છે. પરંતુ તે હાલ મુંબઈમાં ન હોવાથી પૂછપરછ થઈ શકી નથી. તેની વિરુદ્ધ MIDC પોલીસે FIR નોંધી વધુ તપાસ માટે કેસ ખાર પોલીસને સોંપ્યો છે.
એકનાથ શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા
કુણાલે શિંદે પર એક પછી એક બે પેરોડી બનાવ્યા બાદ હવે દેશના નાણાં મંત્રી ર્નિમલા સીતારમણ પર કટાક્ષ કરતાં ગીત બનાવ્યું છે. જેમાં ર્નિમલાને ર્નિમલા તાઈ કહીને સંબોધતાં નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. કામરાએ ગાયું કે, આપકા ટેક્સ કા પૈસા હો રહા હે હવા હવાઈ, ઇન સડકો કી બરબાદી કરને સરકાર હૈ આઈ.
મેટ્રો હે ઈનકે મન મેં ખોદ કર કર લે અંગડાઈ, ટ્રાફિક બઢાને યે આઈ, બિઝનેસ ગિરાને યે આઈ, કહેતે હે ઈસકો તાનાશાહી. દેશ મેં ઈતની મહંગાઈ સરકાર કે સાથ હે આઈ, લોગો કી લૂંટને કમાઈ સાડી વાલી દીદી આઈ, સેલરી ચૂરાને યે હૈ આઈ. મીડલ ક્લાસ દબાને યે હેહીઆઈ, પોપકોર્ન ખિલાને યે હે આઈ, કહેતે હે ઈસકો ર્નિમલા તાઈ.
કામરાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવતા મીડિયાને પણ આડે હાથ લીધું. તેણે કહ્યું કે, મીડિયાએ યાદ રાખવું જોઈએ કે ભારતમાં પ્રેસની આઝાદી ૧૫૯મા સ્થાન પર છે. હું ન તો આ ભીડથી ગભરાતો કે ન તો તેનાથી છુપાવા હું બેડની નીચે છુપાઈને આ વિવાદના અંતની રાહ જોઈશ.
કામરાએ કાયદાના સમાન ઉપયોગ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, હું પોલીસ અને કોર્ટ સાથે સહયોગ કરીશ, પરંતુ શું કાયદો એ લોકો વિરુદ્ધ પણ નિષ્પક્ષ અને સમાન રૂપે લાગુ થશે, જેમણે એક મશ્કરીથી નારાજ થઈને તોડફોડને યોગ્ય ઠેરવી? અને BMC ના તે બિનચૂંટાયેલા સભ્યો સામે, જેઓ આજે કોઈપણ નોટિસ વિના હેબિટેટમાં પહોંચ્યા અને હથોડાથી એ સ્થાનને તોડી નાખ્યું?
પોતાની હાજરજવાબી શૈલી અને કોમેડીથી લોકોને હસાવનાર કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે નામ લીધા વિના જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો.