Last Updated on by Sampurna Samachar
૧૪ મેના રોજ કાર્યભાર સંભાળશે
મુખ્ય ન્યાયાધીશ ખન્નાએ કેન્દ્ર સરકારને નામની કરી ભલામણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈને ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યાં તેઓ ૧૪ મેના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાનો કાર્યકાળ ૧૩ મેના રોજ સમાપ્ત થાય છે.
કાયદા મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને ભારતના ૫૨મા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ગવઈની નિમણૂકની જાહેરાત કરી હતી. નિયત પ્રક્રિયા મુજબ, ૧૬ એપ્રિલના રોજ, મુખ્ય ન્યાયાધીશ ખન્નાએ કેન્દ્ર સરકારને તેમના નામની ભલામણ કરી. જસ્ટિસ ગવઈનો કાર્યકાળ છ મહિનાનો રહેશે અને તેઓ ૨૩ ડિસેમ્બરે ૬૫ વર્ષની ઉંમરે પદ પરથી નિવૃત્ત થશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ખન્ના પછી તેઓ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે.
સુપ્રીમ કોર્ટમાં અનેક બંધારણીય બેન્ચનો ભાગ
૨૪ નવેમ્બર, ૧૯૬૦ ના રોજ અમરાવતીમાં જન્મેલા જસ્ટિસ ગવઈને ૧૪ નવેમ્બર,૨૦૦૩ના રોજ બોમ્બે હાઈકોર્ટના વધારાના જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેઓ ૧૨ નવેમ્બર, ૨૦૦૫ ના રોજ હાઈકોર્ટના કાયમી જજ બન્યા હતા. જસ્ટિસ ગવઈ સુપ્રીમ કોર્ટમાં અનેક બંધારણીય બેન્ચનો ભાગ રહ્યા છે જેમણે અનેક મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે.