Last Updated on by Sampurna Samachar
આતંકવાદી અઝહર મસૂદના ભાઇ સહિત ૧૪ લોકોના મોત
ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના પહલગામ હુમલાનો જવાબ ભારતે જોરદાર રીતે આપ્યો છે. જ્યાં ભારતીય દળોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. હુમલાના બરાબર ૧૫ દિવસ પછી ભારતે મોડી રાત્રે લગભગ ૧.૩૦ વાગ્યે ‘ઓપરેશન સિંદૂર‘ દ્વારા પાકિસ્તાનને તેની ઓકાત બતાવી દીધી છે. આ ઓપરેશન સાથે ભારતે આતંકવાદી સંગઠન જૈશના નેતા આતંકવાદી અઝહર મસૂદના પરિવારનો ખાતમો બોલાવ્યો છે. આ હુમલામાં તેના પરિવારના ૧૪ સભ્યો માર્યા ગયા હોવાની માહિતી સામે આવી છે.
હકીકતમાં આતંકવાદી મસૂદ પાકિસ્તાનમાં બેસીને ભારત વિરુદ્ધ સતત આતંકવાદી કાવતરાં ઘડી રહ્યો હતો. પરંતુ હવે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે અને આ ખાસ ઓપરેશનમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ૯ સ્થળો પર હવાઈ હુમલા કર્યા છે. આ મસૂદના પરિવારનો અંત છે. ટૂંક સમયમાં જ કોણ માર્યા ગયા તે અંગે સંપૂર્ણ માહિતી બહાર આવશે. આ કાર્યવાહીને કારણે પાકિસ્તાન સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયું છે.
ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું
પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન અને POK માં આતંકવાદીઓ પર હવાઈ હુમલો કર્યો છે. ભારતીય સેનાએ નવ આતંકવાદી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું છે. બરાબર ૧૫ દિવસ પછી ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. આ કાર્યવાહી ચોકસાઈ સાથે હાથ ધરવામાં આવી હતી.
ભારતે હુમલા માટે જવાબદાર જૂથો સાથે જોડાયેલા આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું હતું. ભારત સરકારે પુષ્ટિ આપી છે કે તમામ નવ લક્ષ્યો પર સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાનમાં કોઈ નાગરિક કે લશ્કરી માળખાને નુકસાન થયું નથી.
બધાને ખબર હતી કે ભારત આતંકવાદી હુમલાનો બદલો ચોક્કસ લેશે અને હવે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે બદલો લીધો છે. આ ૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતની કાર્યવાહીનો એક ભાગ હતો, જેમાં ૨૫ ભારતીયો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા.