Last Updated on by Sampurna Samachar
બીજાપુરમાં કરેગુટ્ટા ટેકરીઓ પાસે થયું એન્કાઉન્ટર
અભિયાનનો ઉદ્દેશ નક્સલવાદનો અંત લાવવાનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરુ કર્યું અને કુલ ૯ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ પણ ભારતના વીર જવાનો લડત આપી રહ્યા છે. છત્તીસગઢ-તેલંગાણાની સરહદ નજીક બીજાપુર જિલ્લામાં ૧૫ નક્સલીઓના ઢીમ ઢાળી દેવાયા છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લામાં કરેગુટ્ટા ટેકરીઓ પાસે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ૧૫ થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે. આ કાર્યવાહી મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી છે.
નક્સલવાદીઓ સામે મોટુ ઓપરેશન ચાલ્યું
ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં પણ આ જ જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૩ નક્સલીઓ માર્યા ગયા હતા. છત્તીસગઢ – તેલંગાણા સરહદ પર કરેગુટ્ટાની ટેકરીઓ પર સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરુ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ નક્સલવાદનો અંત લાવવાનો છે.