Last Updated on by Sampurna Samachar
તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
આ દુર્ઘટનામાં અન્ય ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહાયની જાહેરાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દક્ષિણ ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશમાં ગુરુવારે સવારે એક હૃદય દ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. કુર્નૂલજિલ્લાના ચિલકલાડોના પાસે એક બોલેરો ગાડી અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ૮ લોકોનામોત થયા છે. મૃતકોમાં કર્ણાટકના ચિક્કામગલુરુ વિસ્તારના શ્રદ્ધાળુઓ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, આ શ્રદ્ધાળુઓ તીર્થયાત્રા માટે નીકળ્યા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૩ લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં અન્ય ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે એમ્મિગનૂર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા
આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, “આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દુ:ખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.” વડાપ્રધાને તરફથી પ્રત્યેક મૃતકના પરિવારને રૂ.૨ લાખ અને ઘાયલોને રૂ.૫૦,૦૦૦ ની સહાય આપવાની જાહેરાત કરી છે.
કુર્નૂલ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતની જાણ થતા જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ બોલેરો અને ટ્રક વચ્ચેની સીધી ટક્કર જવાબદાર હોવાનું મનાય છે.