Last Updated on by Sampurna Samachar
ચીન સાથે ટ્રેડ ડીલ ખતમ કરો, નહીં તો ૧૦૦ ટકા ટેરિફ લગાવીશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે તે ચીન સાથે ટ્રેડ ડીલ સમાપ્ત કરે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તે ચીન સાથે ટ્રેડ ડીલ સમાપ્તનહીં કરે તો અમેરિકા તેના પર ૧૦૦% ટેરિફ લાદશે. તેમણે સ્પષ્ટતા કરી કે આ પગલું અમેરિકાના વેપાર હિતોનુંરક્ષણ કરવા માટે લઈ શકાય છે.

અગાઉ, અમેરિકાના વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે શુક્રવારે કહ્યું હતું કેરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર અમેરિકન વેપાર કરારને સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કેનેડાની વેપારવાટાઘાટોની યુક્તિઓની ટીકા કરતા કહ્યું હતું કે, “તે ખૂબ જ ખરાબ છે.”
અત્યાર સુધીની સૌથી ખરાબ રણનીતી
વાણિજ્ય વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લુટનિક અમેરિકા અને કેનેડા વચ્ચેના અસંતુલિત વેપાર તરફઈશારો કરી રહ્યા હતા અને કેનેડા અમેરિકાના ઇં૩૦ ટ્રિલિયન અર્થતંત્રનો લાભ કેવી રીતે લઈ રહ્યું છે.
મીડિયા આઉટલેટ દ્વારા આયોજિત એક સમ્મેલનમાં બોલતા લુટનિકે ટ્રમ્પ પ્રશાસન સામે કેનેડાનાવલણની ટીકા કરી હતી. તેમણે ભૂતપૂર્વ કેનેડિયન વેપાર અધિકારીના એ સૂચનને ફગાવી દીધું કે કેનેડાવાટાઘાટો ધીમી કરીને ફાયદો મેળવી શકે છે. તેને તેમણે “અત્યાર સુધીની સૌથી ખરાબ રણનીતી” ગણાવી.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટ્રમ્પ યુએસ–મેક્સિકો–કેનેડા કરારને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે, ત્યારે લુટનિકે કહ્યું કે રાષ્ટ્રપતિ તેને “ખરાબ ડીલ” માને છે.
લુટનિકે કહ્યું કે જ્યારે કેનેડા અને મેક્સિકો સાથે યુએસના કેટલાક સંબંધો “મૂળભૂત” છે, ત્યારે એકંદરે વેપારકરાર “ખરાબ ઔદ્યોગિક નીતિ” છે જેણે યુનાઇટેડ સ્ટેટ્સને નુકસાન પહોંચાડ્યું છે.
આ ધમકી અમેરિકા અને કેનેડા વચ્ચે વધતા વેપાર તણાવનો સંકેત આપે છે. ટ્રમ્પે કહ્યું છે કે કેનેડા ચીનસાથે વેપાર કરાર કરશે તો તેઓ કેનેડિયન આયાત પર ૧૦૦% ટેરિફ લાદશે.
ભારત અને અમેરિકા વચ્ચે ૨૦ એપ્રિલે વોશિંગ્ટનમાં ત્રણ દિવસીય વેપાર સંવાદ શરૂ થવાનો છે. આવાટાઘાટોનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરારના પ્રથમ તબક્કાને આગળ વધારવાનો છે. દર્પણજૈન ભારતીય પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે અને ટેરિફ, બજાર ઍક્સેસ, ઊર્જા અને કૃષિ જેવા મુખ્ય મુદ્દાઓ પરચર્ચા કરવામાં આવશે. લાંબા સમય સુધી ટેરિફ વિવાદ પછી આ વાટાઘાટો ફરી શરૂ થઈ છે અને તેનો હેતુવેપાર સંબંધોને સંતુલિત અને મજબૂત બનાવવાનો છે.