Last Updated on by Sampurna Samachar
ટીમને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો
ચાહકોમાં CSK ના હારની ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેન્નાઈ સુપર કિંગ્સમાં રવિન્દ્ર જાડેજાની અંત સુધીની લડાયક બેટિંગ રહી પ૨તુ તેમ છતાં અંતિમ ઓવરમાં પાસું પલટાઈ ગયું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ તેના ઘરમાં રમાયેલી મેચ માત્ર ૨ રનના માર્જિનથી જીતી લીધી હતી. એક સમયે જીત CSK ના હાથમાં આવશે તેવું નક્કી થઈ ગયું હતું પછી ભૂલ ક્યાં થઈ ગઈ તેના પર ફેન્સ વિશ્લેષણ કરી રહ્યા છે. જેમાં તેઓ ધોની કેપ્ટન તરીકે એક ભૂલ કરી બેઠો હોવાનું માની રહ્યા છે.
ધોની સામાન્ય રીતે આ IPL ૨૦૨૫ની સીઝનમાં તેના નિશ્ચિત ૭ નંબરના બેટિંગ ઓર્ડર કરતા પણ નીચે આવતો હતો અને ઘણી વખત તેણે પોતે બેટિંગમાં આવવાના બદલે અન્ય ખેલાડીઓને જવાબદારી સોંપી હતી. ફેન્સ એવી વિશ્લેષણ કરી રહ્યા છે કે જો ધોની પોતે બેટિંગમાં ઉતર્યો તેના બદલે તેણે શિવમ દુબેને ઉતારવાની જરુર હતી. આ મેચમાં બેટિંગ દરમિયાન CSK તરફથી આયુષ માતરે (૪૮ બોલમાં ૯૪ રન) અને રવિન્દ્ર જાડેજા (૪૫ બોલમાં ૭૭ રન)નું યોગદાન મહત્વનું રહ્યું હતું.
IPL માં ડોટ બોલની સામે વૃક્ષા રોપણ અભિયાન
ધોની IPL ની આ સિઝનમાં વધારે નીચેના નંબરે બેટિંગમાં ઉતરતો હોવાથી ચર્ચાનું કારણ બન્યો છે. આ સાથે તેની ધીમી બેટિંગ અને ડોટ બોલ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ફેન્સ એવો ટોણો પણ મારી રહ્યા છે કે, ધોની ડોટ બોલ રમીને પ્રકૃતિને મદદ કરી રહ્યો છે, કારણ કે IPL માં ડોટ બોલની સામે વૃક્ષા રોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
૨૧૪ રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે જ્યારે CSK ની ૧૭૨ રન પર ચોથી વિકેટ પડી તો છઠ્ઠા નંબરે ધોની બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. આવામાં જે પ્રકારનું ધોનીનું પ્રદર્શન રહ્યું છે તેના કારણે શિવમ દુબેને કેમ ઉતારવામાં ન આવ્યો તે અંગે સવાલ ફેન્સને થવા લાગ્યા હતા. પરંતુ તેમને ધોની પર વિશ્વાસ પણ હતો. પરંતુ ધોની ફેન્સના વિશ્વાસ પર ખરો ન ઉતરી શક્યો અને ૮ બોલમાં એક છગ્ગા સાથે ૧૨ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
જોકે, ધોની આ વખતે વિકેટ પડ્યા સિવાય એક પણ ડોટ બોલ કાઢ્યો નહોતો, તેણે એક બોલમાં છગ્ગો માર્યો અને બાકીના ૬ બોલમાં ૬ રન બનાવ્યા હતા. ધોની ૧૭મી ઓવરે બેટિંગમાં ઉતર્યો અને ૨૦મી ઓવરના ત્રીજા બોલે આઉટ થયો હતો. તે પછી શિવમ દુબેને ૩ બોલ રમવા મળ્યા હતા અને તેમાં તેણે એક છગ્ગા સાથે ૮ રન બનાવ્યા હતા.
ધોનીએ ૧૫૦ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી જ્યારે શિવમ દુબેએ તેનાથી આગળ નીકળીને ૨૬૬.૬૭ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. બીજી તરફ જાડેજાએ ૧૮.૧ ઓવરમાં ચોગ્ગો માર્યા બાદ ચાર બોલનો સામનો કર્યો હતો પરંતુ તેમાં તે ૧-૧ રન જ લઈ શક્યો હતો. આવામાં ફેન્સ ધોનીની ધીમી બેટિંગની અસર જાડેજા પર પડી હોવાનું પણ માની રહ્યા છે.