Last Updated on by Sampurna Samachar
સોશિયલ મીડિયા પર રીલ જોતાં આવી હતી જાહેરાત
મુંબઈમાં વીમા કંપનીના કેશિયર સાથે ચોંકાવનારો કિસ્સો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈમાં વીમા કંપનીના કેશિયર સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જ્યાં સરકારી વીમા કંપનીના કેશિયરને અમુક શખસોએ એક રૂપિયાની નોટને બદલે ભારે ઈનામ આપવાનું કહી છેતરપિંડી આચરી અને ૧૦ લાખથી વધારે રૂપિયા પડાવી લીધા હતા.
પીડિત વીમા કંપનીના કેશિયરે આ વિશે માહિતી આપતા પોલીસને જણાવ્યું કે, મુંબઈમાં સાંતાક્રૂઝ પશ્ચિમી નિવાસી ૪૫ વર્ષીય શખસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વીમા કંપનીની ચર્ચગેટ બ્રાન્ચમાં કામ કરનારા વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, ૨૩ ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર રીલ જોતા સમયે મારી નજર એક જાહેરાત પર પડી.
પિડીતે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
જાહેરાતમાં એક રૂપિયાની નોટ લાવનારને ૪.૫૩ લાખ રૂપિયાનું ઈનામ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. તેમાં એક વોટ્સએપ નંબર પણ હતો. મેં વોટ્સએપ નંબર પર એક રૂપિયાની નોટનો ફોટો મોકલ્યો, ત્યારબાદ પંકજ સિંહ નામના વ્યક્તિએ મારો સંપર્ક કર્યો. તેણે જણાવ્યું કે, તે સિક્કાની દુકાનમાં કામ કરે છે. ફોન કરનારા વ્યક્તિએ એક ફોર્મ ભરવાનું કહ્યું અને રજિસ્ટ્રેશન માટે ૬૧૬૦ રૂપિયા જમા કરાવ્યા. ફોન કરનારે વચન આપ્યું હતું કે, પહેલાં ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ પરત કરવામાં આવશે.
વધુમાં તેમણે જમાવ્યું કે, ‘ થોડીવાર બાદ ફરી ફોન આવ્યો અને પહેલાં આપેલી રકમ ખોટી છે અને ૬૧૦૭ રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. ત્યારે પણ મને વચન આપવામાં આવ્યું કે, પહેલાં ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ પરત મળી જશે. ત્યારબાદ પંકજ સિંહે અન્ય એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી, જેણે પોતાનો પરિચય અરૂણ શર્માના રૂપે આપ્યો.
તેણે એક રૂપિયાની નોટની બદલે ઈનામ જીતવા વિશે RBI નો એક પત્ર મોકલ્યો અને બાદમાં બંનેને વિવિધ વાતોમાં ફસાવીને કેશિયર પાસેથી ૧૦.૩૮ લાખ રૂપિયા વસુલી લીધા. બાદમાં પીડિત કેશયરને પોતાની સાથે છેતરપિંડીનો અનુભવ થતાં, આરોપીએ કહ્યું કે, મને ૬ લાખ રૂપિયા આપો અને ઈનામની રકમ ૨૫.૫૬ લાખ રૂપિયા થઈ શકે છે. બાદમાં પીડિતે પોલીસમા IT એક્ટ હેઠળ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.