Last Updated on by Sampurna Samachar
ઇન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાએ લીધો નિર્ણય
હજુ સુધી કોઇ નવી તારીખ જાહેર નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) એ એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો છે. મે ૨૦૨૫માં યોજાનારી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) પરીક્ષા હવે નિર્ધારિત તારીખે યોજાશે નહીં.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂર પછી ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICAI એ CA પરીક્ષા મુલતવી રાખી છે. દેશમાં તણાવપૂર્ણ અને સુરક્ષા સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મે ૨૦૨૫માં યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC) ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન(INTTAT) ની બાકી રહેલી કેટલીક પરીક્ષાઓ ૯ મે થી ૧૪ મે દરમિયાન યોજાવાની હતી, તેને મોકૂફ રાખવામાં આવી છે.
અફવાઓ પર ધ્યાન ન આપવા સલાહ
જોકે, ICAI એ હજુ સુધી નવી તારીખોની જાહેરાત કરી નથી. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે અને ફક્ત સત્તાવાર વેબસાઇટ પરથી જ અપડેટ્સ મેળવે.