Last Updated on by Sampurna Samachar
છેલ્લે ભારત અને પાકિસ્તાનની ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં રમ્યા
ન્યૂટ્રલ વેન્યૂ અંગે હજુ કોઈ ર્નિણય નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદથી પાકિસ્તાનને ભારત એક પછી એક મોટા ઝટકા આપી રહ્યું છે ત્યારે આ શ્રેણીમાં BCCI એ પણ હવે એક મોટું પગલું ભરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર BCCI એ ICC ને પત્ર લખ્યો છે. જેમાં BCCI એ માંગ કરી છે કે ભારત હવે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા માંગતું નથી.
છેલ્લે ભારત અને પાકિસ્તાને ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં એકબીજાનો સામનો કર્યો હતો. જ્યાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાને છ વિકેટે ધૂળ ચટાડી હતી. તાજેતરના અહેવાલ અનુસાર BCCI એ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને પત્ર લખી આગ્રહ કર્યો છે કે ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાનને ICC ની કોઈપણ ગ્લોબલ ઈવેન્ટમાં એક જ ગ્રૂપમાં ન રાખવામાં આવે.
ICC મહિલા વન ડે વર્લ્ડકપમાં રમતી દેખાશે
હકીકતમાં BCCI હવે ICC ઈવેન્ટમાં ગ્રૂપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ રમાય તેવું પણ ઈચ્છતું નથી. જોકે બંને ટીમ ICC મહિલા વન ડે વર્લ્ડકપમાં રમતી દેખાશે. જેમાં પાકિસ્તાને આઠ ટીમની ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાઈ કર્યું હતું.
ICC , PCB અને BCCI વચ્ચે એક જૂની સમજૂતી અનુસાર પાકિસ્તાન ભારતમાં પણ કોઈ મેચ નહીં રમે. મહિલા વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં ૨૬ સપ્ટેમ્બરથી ૨ નવેમ્બર વચ્ચે રમાવાનું છે. જોકે ભારત અને પાકિસ્તાનના ન્યૂટ્રલ વેન્યૂ અંગે હજુ કોઈ ર્નિણય લેવાયો નથી.
બીજી તરફ, પુરુષોની ICC ટુર્નામેન્ટ ૨૦૨૬ માં યોજાશે, જ્યારે ભારત અને શ્રીલંકા ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે T2૦ વર્લ્ડ કપનું આયોજન કરશે. જોકે, BCCI ની તાત્કાલિક ચિંતા એશિયા કપ અંગે હશે જે સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે.
આ સંદર્ભમાં પહેલાથી જ એવી ચર્ચા છે કે ટુર્નામેન્ટ સંપૂર્ણપણે તટસ્થ સ્થળોએ રમાશે, જેમાં દુબઈ અને શ્રીલંકા સંભવિત સ્થળો હશે. અગાઉ, BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ પુષ્ટિ કરી હતી કે બોર્ડ ભારત સરકારના ર્નિણયનું પાલન કરશે.