Last Updated on by Sampurna Samachar
IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના ૨૫ ટકા દંડ
વરુણ ચક્રવર્તીએ ગુનાની કરી કબુલાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL 2025 ની ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં કોલકાતાને હારનો સામનો કરવો પડ્યો હતો. જે આ મેચમાં સ્પિનર વરુણ (VARUN) ચક્રવર્તી સામે BCCI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
હકીકતમાં વરુણ ચક્રવર્તી સામે મેચ દરમિયાન IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના ૨૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. વરુણ ચક્રવર્તીને IPL આચારસંહિતાના કલમ ૨.૫ ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જે અન્ય ખેલાડી પ્રત્યે અપમાનજનક ભાષા, રિએક્શન અથવા અથવા મેચ દરમિયાન આક્રમક પ્રતિક્રિયા ઉશ્કેરવા સાથે સંબંધિત છે.
CSK એ KKR વચ્ચેની મેચમાં CSK ની જીત
IPL દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વરુણ ચક્રવર્તીએ કલમ ૨.૫ હેઠળ લેવલ ૧ ના ગુનાની કબૂલાત કરી છે અને મેચ રેફરીની સજા સ્વીકારી છે. લેવલ ૧ ની આચારસંહિતા ભંગ માટે મેચ રેફરીનો ર્નિણય અંતિમ અને બંધનકર્તા રહેશે.
IPL આચાર સંહિતાના કલમ ૨.૫ મુજબ, જ્યારે કોઈ બેટ્સમેન આઉટ થઈને પેવેલિયન પરત ફરી રહ્યો હોય છે, ત્યારે ઘણી વખત ઉત્તેજનામાં બોલર એવી રીતે પ્રતિક્રિયા આપે છે કે બેટ્સમેન તરફથી વળતો પ્રતિભાવ મળવાની શક્યતા વધી જાય છે. ઘણી વાર, ફિલ્ડ અમ્પાયરોને દરમિયાનગીરી કરવી પડે છે. બોલર તરફથી બેટ્સમેન પ્રત્યે આ પ્રકારની પ્રતિક્રિયા અપમાન માનવામાં આવે છે. ભલે બેટ્સમેનને અપમાનિત ન લાગે.
ત્યારે ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ રમાઈ હતી. આ સિઝનમાં સતત હારનો સામનો કરી રહેલી CSK એ KKR સામે સિઝનની ત્રીજી જીત મેળવી. CSK એ KKR ને બે વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા KKR એ ૬ વિકેટે ૧૭૯ રન બનાવ્યા. CSK ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. પરંતુ, છેલ્લી ઓવરમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.