Last Updated on by Sampurna Samachar
દરરોજ ૪૫,૦૦૦ થી ૫૦,૦૦૦ ભક્તોએ કર્યા દર્શન
શ્રદ્ધાળુ ભક્તિમય વાતાવરણમાં જયકાર કરતા જોવા મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
માતા વૈષ્ણોદેવીના દર્શને જતા શ્રધ્ધાળુઓમાં રજાના દિવસો પૂરા થતા ઘટાડો જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો પહેલા જ્યાં દરરોજ ૪૫,૦૦૦થી ૫૦,૦૦૦ શ્રદ્ધાળુઓ માતાના દરબારમાં દર્શન કરતા હતા, ત્યાં હવે આ સંખ્યા ઘટીને ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ની વચ્ચે રહી ગઈ છે.
હાલમાં લગભગ ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ તીર્થયાત્રીઓ માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે આધાર શિબિર કટડા પહોંચી રહ્યા છે. લગભગ ૧૮,૮૦૦ શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવીવે ભવન તરફ પ્રસ્થાન કર્યું અને બાકીના અને બાકીના યાત્રાળુઓની અવરજવર ચાલુ છે. તેમજ ૨૭,૧૭૭ શ્રદ્ધાળુઓએ માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા. ત્યારે સતત રજાઓ હોવાથી વૈષ્ણોદેવી યાત્રામાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જે દરમિયાન દરરોજ ૪૫,૦૦૦ થી ૫૦,૦૦૦ ભક્તો દર્શન માટે આવી રહ્યા હતા.
બજારોમાં દિવસ-રાત રોનક જોવા મળી
હાલમાં માતા વૈષ્ણો દેવીના દર્શને આવતા તમામ ભક્તો કોઈપણ મુશ્કેલી વગર યાત્રા કરી રહ્યા છે. મજબૂત વ્યવસ્થાઓના કારણે શ્રદ્ધાળુઓ સરળતાથી યાત્રા કરી રહ્યા છે અને તેમને દરેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
હેલિકોપ્ટર, બેટરી કાર, રોપવે કેબલ કાર, ઘોડા, કુલી અને પાલખી જેવી બધી સેવાઓ પહેલાની જેમ જ ઉપલબ્ધ છે. શ્રદ્ધાળુ ભક્તિમય વાતાવરણમાં જયકાર કરતા ભવન તરફ આગળ વધી રહ્યા છે, જેનાથી માહોલ જીવંત બન્યો છે. માતા વૈષ્ણો દેવીના દિવ્ય દર્શન બાદ ભક્તો ભૈરવ ઘાટીમાં બાબા ભૈરવનાથના ચરણોમાં માથું નમાવી રહ્યા છે. આ સાથે જ તેઓ આધાર શિબિર કટડા ખાતે પ્રસાદ અને અન્ય વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે, જેના કારણે બજારોમાં દિવસ-રાત રોનક જોવા મળી રહી છે.