Last Updated on by Sampurna Samachar
પતિએ બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઇ લેતાં મામલો બહાર આવ્યો
મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના બેગુસરાયમાં લગ્ન બાદ દુલ્હને કરી એવી કરતૂત કે જે જાણી તમે ચોંકી જશો. નવવધૂની કરતૂતે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. લોકો હવે એ વિચારમાં પડી ગયા કે આવું હતો તો એ છોકરીએ લગ્ન જ શા માટે કર્યા ?
મળતા અહેવાલો અનુસાર એક નવવધૂએ તેના લગ્નના ત્રણ દિવસ બાદ જ પોતાના પ્રેમીને સાસરે બોલાવી લીધો અને સાસરિયાઓ સામે તેને પોતાના મામાનો દીકરો અર્થાત ભાઈ ગણાવ્યો. પરંતુ જ્યારે બંનેને બંધ રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં નવવધૂના પતિએ ઝડપી લીધા ત્યારે તેમનું રહસ્ય ખૂલી ગયું હતુ. આ પછી મહિલાએ સ્વીકાર્યું કે રૂમમાં હાજર વ્યક્તિ તેનો મામાનો દીકરો નથી. પરંતુ તેનો પ્રેમી છે. હકીકત જાહેરા થઈ ગયા પછી મહિલાએ પોતાના પ્રેમી સાથે જ રહેવાની જીદ કરી હતી. ઘણું સમજાવવા છતાં તે ન માની અને આખરે પોતાના પતિને છોડીને પ્રેમી સાથે ચાલી ગઈ હતી.
સાસરિયાઓએ આ વાતની જાણ પોલીસને કરી
મળતી માહિતી મુજબ આ ઘટના બેગુસરાયના તેયાય વિસ્તારના દાદપુર ગામની છે. જ્યાં દાદપુરના રહેવાસી વિશ્વજીત પાસવાનના લગ્ન ૧૬ એપ્રિલે બડી બલિયાના પ્રકાશ પાસવાનની દીકરી કલ્પના કુમારી સાથે થયા હતા. લગ્ન હિન્દુ રીત-રિવાજો સાથે ખૂબ ધામધૂમથી થયા હતા. પરંતુ નવવધૂ કલ્પના કુમારી આ લગ્ન અને પોતાના પતિથી ખુશ નહોતી. તેનું દિલ તેના પ્રેમી નીતિશ માટે ધડકતું હતું. તે પોતાના પ્રેમી સાથે જ રહેવા ઇચ્છતી હતી. ૧૬ એપ્રિલે કલ્પનાના લગ્ન થયા અને લગ્ન બાદ ૧૭ એપ્રિલે તેની વિદાય થઈ. વિદાયમાં કલ્પના સાથે તેનો ભાઈ પણ આવ્યો હતો, પરંતુ તે ૧૮ એપ્રિલની સવારે ચાલ્યો ગયો.
આ તરફ, કલ્પના લગ્ન બાદ સાસરે આવી ત્યારબાદ તેનો પ્રેમી નીતિશ ખૂબ પરેશાન હતો. લગ્નના બીજા દિવસે જ નીતિશ અને કલ્પના વચ્ચે ચોરી-છૂપીથી વાતચીત થઈ હતી. આ દરમિયાન કલ્પનાએ પોતાના પ્રેમી નીતિશને સાસરે આવવા કહ્યું. કલ્પનાએ તેને પોતાનો પ્લાન જણાવ્યો અને કહ્યું કે જ્યારે તું મારા સાસરે આવે ત્યારે કહેજે કે તું મારા મામાનો દીકરો ભાઈ છું. કલ્પનાનો પ્લાન નીતિશને પણ પસંદ આવ્યો. નીતિશ પોતાની પ્રેમિકાના સાસરે દાદપુર પહોંચી ગયો. સાસરે પહોંચીને તેણે એક સ્કૂલ પાસે ઊભા રહીને કલ્પનાને ફોન કર્યો. ત્યારબાદ કલ્પનાએ તેને લેવા માટે તેના સાસરિયામાંથી જ કોઈને મોકલ્યા.
આ સમગ્ર કાવતરાથી અજાણ એવા સાસરિયા પૂરા સન્માન સાથે કલ્પનાના કથિત ભાઈ નીતિશને ઘરે લઈ આવ્યા. ઘરના દરવાજે નીતિશે પોતાને કલ્પનાનો મામેરો ભાઈ ગણાવ્યો. ઘરના લોકોએ દુલ્હન કલ્પનાને જાણ કરી કે તારો મામેરો ભાઈ આવ્યો છે, તો તે પણ ખુશ થઈ ગઈ કારણ કે તેનો પ્રેમી આખરે ભાઈ બનીને સાસરે આવી પહોંચ્યો હતો.
દુલ્હનના મનમાં ખુશીના લાડુ ફૂટી રહ્યા હતા. બીજી તરફ, સાસરિયાઓએ નીતિશને ભાઈ માનીને તેનો ખૂબ આદર-સત્કાર કર્યો. જ્યારે ભાઈનું સ્વાગત થઈ ગયું, ત્યારે થોડી વાર બાદ તેને દુલ્હન સાથે મળવા માટે તેના રૂમમાં મોકલી દેવાયો. સાસરિયાઓને લાગ્યું કે નવી દુલ્હન જ્યારે સાસરે આવે છે, ત્યારે તે પોતાના પિયરના લોકો સાથે વાત કરવા ઇચ્છે છે, સુખ-દુ:ખ વહેંચવા ઇચ્છે છે, નવી જગ્યાએ રહેતી હોવાથી ઘણું બધું કહેવું હોય છે. આ જ વિચારીને લોકોએ કથિત ભાઈ અને દુલ્હનને તેના રૂમમાં વાત કરવા માટે એકલા છોડી દીધા.
આ દરમિયાન દુલ્હા વિશ્વજીતને ખબર પડી કે તેમનો કોઈ સાળો આવ્યો છે, તો તે ખુશી-ખુશી પોતાના સાળાથી મળવા પોતાની પત્નીના રૂમમાં ગયો. પરંતુ રૂમમાં પહોંચતા જ તેની સામે જે દૃશ્ય હતું તે જોઈને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. વિશ્વજીતે જોયું કે તેની પત્ની પોતાના રૂમમાં કથિત મામેરા ભાઈ સાથે આપત્તિજનક સ્થિતિમાં છે.
બંને એકબીજા સાથે અશ્લીલ હરકતો કરવામાં વ્યસ્ત હતાં. પોતાની પત્નીને પોતાના મામેરા ભાઈ સાથે આવી હરકતો કરતી જોઈ વિશ્વજીતના હોંશ ઊડી ગયા. તેણે તરત જ પોતાના સસરાને ફોન કરીને નીતિશ વિશે પૂછ્યું. ત્યારે વિશ્વજીતના સસરાએ કહ્યું કે નીતિશ નામનો મારો કોઈ સગો નથી, તેને પકડી રાખો, અમે કલ્પનાના ભાઈને હમણાં મોકલીએ છીએ. આ પછી ૧૯ એપ્રિલે નવવધૂનો ભાઈ અને અન્ય સગા દાદપુર પહોંચ્યા.
લગ્નના ઘરમાં હવે હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો. જ્યારે નવવધૂના સગાઓએ તેના પ્રેમી નીતિશ સાથે પૂછપરછ કરી તો તે આડીઅવળી વાતો કરવા લાગ્યો. તેને પૂછવામાં આવ્યું કે તું કઈ રીતે ભાઈ લાગે છે જે પોતાની બહેન સાથે આવું કરી રહ્યો હતો ? તો નીતિશે ગોળ ગોળ જવાબો આપવા શરૂ કર્યા. પછી કલ્પનાને બેસાડીને પૂછપરછ કરવામાં આવી, તો તેણે જણાવ્યું કે તે નીતિશને પહેલેથી ઓળખે છે અને તેની સાથે ઘણા સમયથી પ્રેમમાં હતી. તે હવે નીતિશ સાથે જ રહેવા ઇચ્છે છે. દુલ્હને કહ્યું કે મેં જ તેને અહીં બોલાવ્યો હતો. આ લગ્ન મારી મરજીથી નથી થયા, મારે આ ઘરમાં નથી રહેવું, મારે મારા પ્રેમી સાથે જ રહેવું છે.
આટલું સાંભળીને લોકોને હવે સમગ્ર મામલો સમજાઈ ગયો. આ અંગે કલ્પનાને ઘણું સમજાવવામાં આવી, પરંતુ તે પ્રેમીને છોડવા તૈયાર ન થઈ. છેવટે ગામના સમાજને પણ બોલાવવામાં આવ્યો જેથી તેઓ નવવધૂને સમજાવી શકે. તેમણે પણ કલ્પનાને ખૂબ સમજાવી, પરંતુ તેના મન પર નીતિશના પ્રેમનો એવો પ્રભાવ હતો કે તે કોઈનું સાંભળવા તૈયાર ન હતી. આખરે સાસરિયાઓએ આ વાતની જાણ પોલીસને કરી. જાણ થતાં પોલીસ પહોંચી અને બંનેને પોલીસ મથકે લઈ ગઈ.
પોલીસ સ્ટેશનમાં પણ કલ્પનાએ પોતાના પ્રેમી નીતિશ સાથે રહેવાની વાત કરી અને પોતાની જીદ પર અડી રહી. પ્રેમી-પ્રેમિકાના પિતાને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા. દાદપુર ગામના લોકો અને સગાઓ પણ પહોંચ્યા. ઘણું સમજાવવા છતાં જ્યારે મામલો શાંત ન થયો તો લેખિત લઈને ત્રણેયને તેમના પોતપોતાના સગાઓને સોંપી દેવાયા હતા.