કુર્રાગુટ્ટુલુ હિલ્સ પર સુરક્ષાદળોએ મોટું ઓપરેશન સફળ બનાવ્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X એકાઉન્ટ પર આપી માહિતી

આખા દેશને તમારા પર ગર્વ છે , અમિત શાહે કહ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં  છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કુર્રાગુટ્ટુલુ હિલ્સ પર ૩૧ કુખ્યાત નક્સલીઓને મારી નાખવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જે વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સુરક્ષા દળોએ નક્સલ મુક્ત ભારત હેઠળ નક્સલવાદીઓને ખતમ કરવાના અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે નક્સલ મુક્ત ભારત (BHARAT) ના સંકલ્પમાં ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરતા, સુરક્ષા દળોએ નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં છત્તીસગઢ-તેલંગાણા સરહદના કુર્રાગુટ્ટુલુ હિલ્સમાં છુપાયેલા ૩૧ કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા છે. જે પર્વત પર એક સમયે લાલ આતંકવાદનું શાસન હતું, ત્યાં હવે ત્રિરંગો ગર્વથી લહેરાતો હોય છે.

ઓપરેશનમાં સુરક્ષા દળોમાં એક પણ જાનહાનિ નહીં

વધુમાં, ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે કુર્રાગુટ્ટાલુ ટેકરી એ PLGA બટાલિયન ૧, DKSZC , TSC અને CRC  જેવા મુખ્ય નક્સલી સંગઠનોનું એકીકૃત મુખ્યાલય હતું, જ્યાં નક્સલી તાલીમ તેમજ વ્યૂહરચના અને શસ્ત્રો બનાવવામાં આવતા હતા. આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન આપણા સુરક્ષા દળો દ્વારા માત્ર ૨૧ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને મને ખૂબ જ આનંદ છે કે આ ઓપરેશનમાં સુરક્ષા દળોમાં એક પણ જાનહાનિ થઈ નથી.

ખરાબ હવામાન અને દુર્ગમ પર્વતીય પ્રદેશમાં પણ બહાદુરી અને હિંમતથી નક્સલવાદીઓનો સામનો કરનારા આપણા CRPF , STF  અને DRG  સૈનિકોને હું અભિનંદન આપું છું. આખા દેશને તમારા પર ગર્વ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અમે નક્સલવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છીએ. હું ફરી એકવાર દેશવાસીઓને ખાતરી આપું છું કે ભારત ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં નક્સલ મુક્ત થઈ જશે.

દરમિયાન, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડિરેક્ટર જનરલ જી.પી. સિંહે જણાવ્યું હતું કે સુરક્ષા દળો ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં નક્સલવાદને નાબૂદ કરવા માટે “અવિરત અને ર્નિદય” અભિયાન ચલાવી રહ્યા છે. જી.પી. સિંહે જણાવ્યું હતું કે ૨૦૧૪ માં શરૂ થયેલ નક્સલ વિરોધી કાર્યવાહી ૨૦૧૯ થી વધુ તીવ્ર અને કેન્દ્રિત બની છે, જેમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળો નક્સલવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધતા સાથે રાજ્ય પોલીસ સાથે “ખભા મિલાવીને” કામ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે ૨૦૧૪ માં સૌથી વધુ નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ૩૫ હતી, જે ૨૦૨૫ સુધીમાં ઘટીને ૬ થઈ ગઈ છે, જ્યારે આ સમયગાળા દરમિયાન નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ૧૨૬ થી ઘટીને ૧૮ થઈ ગઈ છે.

 

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.