Last Updated on by Sampurna Samachar
અમેરિકા આતંકવાદ સામે ભારત સાથે નિશ્ચિતપણે ઊભું છે
પહલગામમાં આતંકી હુમલાની નિંદા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
US રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારત સાથે એકતા દર્શાવી છે. જેમાં પહલગામ, જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી.
અમેરિકા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, પહલગામ આતંકી હુમલાની નિંદા કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે કાશ્મીરમાંથી ઘણા ખલેલ પહોંચાડનારા સમાચાર આવ્યા છે. અમેરિકા આતંકવાદ સામે ભારત સાથે નિશ્ચિતપણે ઊભું છે. અમે હુમલામાં માર્યા ગયેલા લોકોની આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.
ભારત સરકાર અને અહીંના લોકો સાથે એકજૂટતાની વાત કરી
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરીએ પણ પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ભારતની યાત્રા પર આવેલા વાન્સે એક્ટ પર એક પોસ્ટમાં કહ્યું કે, ઉષા અને હું ભારતમાં પહલગામમાં ખતરનાક આતંકી હુમલાથી પીડિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસમાં અમે આ દેશ અને તેમના લોકોની સુંદરતાથી અભિભૂત છીએ. આ ભયાનક હુમલામાં અમારો વિચારો અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.
ઈટલીના વડાપ્રધાને પણ પહલગામ હુમલાની નિંદા કરતા ભારત સરકાર અને અહીંના લોકો સાથે એકજૂટતાની વાત કહી છે. મેલોનીએ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.તો વળી રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિને એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, આ ક્રૂર અપરાધનું કોઈ ઔચિત્ય નથી. આશા કરીએ છીએ કે, હુમલાને અંજામ આપનારા અપરાધીઓને યોગ્ય સજા મળશે. તેમણે આગળ કહ્યું કે, તેઓ આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારતીયો સાથે પોતાની કટિબદ્ધતામાં ફરીથી ભાગીદાર માને છે.
ઇઝરાઇલે કહ્યું હતું કે જમ્મુ -કાશ્મીરના પ્રવાસીઓ પરના આતંકવાદી હુમલા અંગે સાંભળ્યું તે ખૂબ જ દુખદ છે અને આતંકવાદ સામેની લડતમાં ભારત સાથે ઊભા છીએ. ઇઝરાઇલના વિદેશ પ્રધાન ગિડોન સારે એક્સ પર આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જમ્મુ -કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો ખૂબ જ દુખદ છે. અમારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
દરમિયાન, સંયુક્ત આરબ અમીરાત વિદેશ મંત્રાલયે પણ આતંકવાદી હુમલાની ભારપૂર્વક નિંદા કરી હતી. તેમણે એવું કહ્યું કે યુએઈ આ ગુનાહિત કૃત્યોની સખત નિંદા કરે છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને સુરક્ષા અને સ્થિરતાને નબળી બનાવવા માટે તમામ પ્રકારના આતંકવાદ ફગાવે છે.