Last Updated on by Sampurna Samachar
રશિયાની મુલાકાત રદ અંગે રશિયાના રાષ્ટ્રપતિએ આપી માહિતી
ભારત તરફથી હજુ કોઇ પ્રતિક્રિયા નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની આગામી રશિયાની મુલાકાત રદ કરી છે. હવે તે ૯ મેના રોજ મોસ્કોમાં વિક્ટરી પરેડમાં ભાગ લેશે નહીં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે આ માહિતી આપી હતી. જોકે, રશિયાએ PM મોદીની મોસ્કો મુલાકાત રદ્દ કરવાનું કારણ જણાવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. તેમજ ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
૯ મેના રોજ યોજાનાર છે પરેડ
મહત્વનું છે કે, PM મોદીને બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર રશિયાની જીતની ૮૦ મી વર્ષગાંઠ નિમિત્તે ૯ મેના રોજ વિજય દિવસની પરેડમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી ૧૯૪૫માં સોવિયત સેનાએ જર્મની વિરુદ્ધ આક્રમક કાર્યવાહી શરૂ કરી હતી. ૯ મેના રોજ કમાન્ડર-ઇન-ચીફે જર્મનીના બિનશરતી શરણાગતિના અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા, યુદ્ધ સમાપ્ત કર્યું હતું.