Last Updated on by Sampurna Samachar
PM મોદી તરફથી સેનાને ખુલી છૂટ આપી દેવામાં આવી
ઈસ્લામાબાદ અને લાહોરને નો ફ્લાઈ ઝોન જાહેર કરી દેવાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામમાં આતંકી હુમલો અને માસૂમ લોકોની હત્યા કરનારા આતંકીઓના આકા પાકિસ્તાનને હવે ભારતથી ડર લાગી રહ્યો છે. પાકિસ્તાનના તમામ નેતાઓ દાવા કરી રહ્યા છે કે, ભારત કોઈ પણ સમયે પાકિસ્તાન વિરુદ્ધ જંગ શરુ કરી શકે છે. ડરના માહોલની વચ્ચે હવે પાકિસ્તાન સરકારે પોતાની રક્ષા કરવા માટે મોટા ર્નિણયો લીધા છે. પાકિસ્તાને પોતાના બે મહત્ત્વના શહેરો ઈસ્લામાબાદ અને લાહોરને નો ફ્લાઈ ઝોન ઘોષિત કર્યા છે.
પાકિસ્તાનમાંથી સામે આવી રહેલી જાણકારી અનુસાર, પાકિસ્તાને ૨ મે સુધી ઈસ્લામાબાદ અને લાહોર પર નો ટૂ એરમેન એટલે કે નોટેમ ઈશ્યૂ કરી દીધું છે. તે અનુસાર હવે આ નો ફ્લાઈ ઝોન હશે અને અહીં કોઈ પણ એરક્રાફ્ટ ફ્લાઈ નહીં કરી શકે.
પાકિસ્તાનના મંત્રી રાત્રે ૨ વાગ્યે કરી રહ્યા પ્રેસ કોન્ફરન્સ
ઉલ્લેખનીય છે કે, ઈસ્લામાબાદ અને લાહોર પાકિસ્તાનના સૌથી વધારે મહત્ત્વના શહેરોમાંથી છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન (PAKISTHAN) માં ડરનો માહોલ છે. પાકિસ્તાનીઓને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે, ભારત ટૂંક સમયમાં મોટી સૈન્ય કાર્યવાહી શરુ કરી શકે છે.
ભારતમા પણ હલચલ તેજ થઈ ગઈ છે અને PM મોદી તરફથી સેનાને ખુલી છૂટ પણ આપી દેવામાં આવી છે. ડરની સ્થિતિ એવી છે કે પાકિસ્તાનના સૂચના મંત્રી અત્તાઉલ્લાહ તરારે મોડી રાતે પ્રેસ કોન્ફ્રેન્સ કરે છે. તરારે પ્રેસ કોન્ફ્રન્સમાં દાવો કર્યો છે કે તેમને જાણકારી મળી છે કે, ભારત આગામી ૨૪ થી ૩૬ કલાકમાં હુમલો કરી શકે છે.