માઉન્ટ એવરેસ્ટ સર કરવા નેપાળ સરકારે નવા નિયમો બનાવ્યા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૭,૦૦૦ મીટરથી વધુ પર્વતારોહણ કર્યું હોય તેમને મળશે પરવાનગી

એવરેસ્ટ સર દરમિયાન ૩૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર હવે કોઈ પણ પર્વતારોહક એમ જ નહીં ચઢી શકશે. નેપાળ સરકારે એક નવો ડ્રાફ્ટ કાયદો રજૂ કર્યો છે જે હેઠળ માત્ર એવા જ પર્વતારોહકો એવરેસ્ટ પર ચઢી શકશે જેમણે અગાઉ ઓછામાં ઓછા ૭,૦૦૦ મીટરથી વધુ પર્વતારોહણ કર્યું હોય.

નેપાળની સંસદના ઉપલા ગૃહમાં તાજેતરમાં રજૂ કરાયેલા ‘ઇન્ટિગ્રેટેડ ટુરિઝમ બિલ‘ પ્રમાણે હવે એવરેસ્ટ (૮,૮૪૮.૮૬ મીટર) પર ચઢવા માટે પહેલા પોતાને સાબિત કરવું ફરજિયાત રહેશે. આ બિલમાં ઘણી કડક જોગવાઈઓ છે.

પર્વતારોહકોની સરક્ષામાં વધારો કરનારા નિયમો

– પર્વતારોહકે ૭૦૦૦ મીટરથી ઉપર ચઢાણનો પુરાવો આપવો પડશે.

– દરેક પર્વતારોહકે ચઢાણના એક મહિનાની અંદર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત તબીબી સંસ્થા તરફથી જારી કરાયેલ તબીબી ફિટનેસ પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત રહેશે.

સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને ચઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

– વર્તમાન ૪,૦૦૦ ડોલરનો રિફંડેબલ કચરો ડિપોઝિટ ફી હવે નોન-રિફંડેબલ કચરા ફીમાં બદલાશે

– પર્વત પર મૃતદેહોના નિકાલ માટે વીમા યોજનાની પણ જાેગવાઈ છે, કારણ કે એક મૃતદેહના નિકાલનો ખર્ચ ૨૦ હજારથી ૨ લાખ ડોલર સુધીનો હોઈ શકે છે.

એક અહેવાલ પ્રમાણે ૨૦૨૪ માં અત્યાર સુધીમાં ૪૦૦ થી વધુ પર્વતારોહકોને એવરેસ્ટ પર ચઢવાની પરવાનગી મળી છે અને આ સંખ્યા ૫૦૦ સુધી પહોંચવાની ધારણા છે. જોકે આનાથી નેપાળના અર્થતંત્રને ફાયદો થાય છે, પરંતુ તેનું બીજું પાસું એ છે કે વધતી ભીડને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ વધી રહી છે. બીજી તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે. ૨૦૨૩માં ૧૭ અને ૨૦૨૪માં ૮ લોકોના મોત થયા હતા.

આ ઉપરાંત ગ્લેશિયરનું ઝડપથી પીગળવું, એવરેસ્ટ વિશ્વનો સૌથી ઊંચો કચરાનો ઢગલો બનવાની છબી.

તમને જણાવી દઈએ કે ૧૯૫૩ માં સર એડમંડ હિલેરી અને શેરપા તેનઝિંગ નોર્ગેએ પહેલી વાર માઉન્ટ એવરેસ્ટ પર સર કર્યો હતો. ત્યારથી લગભગ ૯,૦૦૦ લોકો આ પર્વત પર ચઢી ચૂક્યા છે, પરંતુ ૩૦૦થી વધુ લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. હવે નેપાળ સરકાર પર્વતારોહણ ક્ષેત્રમાં સુરક્ષા, જવાબદારી અને પર્યાવરણીય સંતુલન લાવવા માગે છે. નવા કાયદાને આ દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.