રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રશિયાના પ્રવાસે જશે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

S – ૪૦૦ વાયુ સંરક્ષણ બાબતે થશે વાતચીત

અજિત ડોભાલ સુરક્ષા મુદ્દાઓ પર ઉચ્ચ પ્રતિનિધિઓની બેઠકમાં લેશે ભાગ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભારત-પાકિસ્તાન તણાવમાં શાહબાઝ શરીફ અને આસીમ મુનીર વચ્ચે વધુ એક તણાવ વધવા જઇ રહ્યો છે. ભારતના NSA અજિત ડોભાલ પાકિસ્તાનના વિનાશ માટે વધુ સામગ્રી લાવવા રશિયા જઈ રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (AJIT DOVAL) આવતા અઠવાડિયે મોસ્કો જઈ શકે છે. અજિત ડોભાલની આ મુલાકાતનો હેતુ બાકી રહેલી S – ૪૦૦ વાયુ સંરક્ષણ પ્રણાલીઓની વહેલી ડિલિવરી પર ભાર મૂકવાનો છે.

જો સૂત્રોનું માનીએ તો, મોસ્કોની તેમની મુલાકાત દરમિયાન, અજિત ડોભાલ સુરક્ષા મુદ્દાઓ પર ઉચ્ચ પ્રતિનિધિઓની ૧૩મી આંતરરાષ્ટ્રીય બેઠકમાં ભાગ લઈ શકે છે. આ બેઠક ૨૭ થી ૨૯ મે દરમિયાન મોસ્કોમાં યોજાશે અને તેની અધ્યક્ષતા રશિયન સુરક્ષા પરિષદના સચિવ સેરગેઈ શોઇગુ કરશે. આ દરમિયાન, અજિત ડોભાલ બાકીની બે S -૪૦૦ વાયુ સંરક્ષણ પ્રણાલીઓની વહેલી ડિલિવરીનો મુદ્દો ઉઠાવી શકે છે.

પાકિસ્તાનનો તણાવ વધુ વધશે

NSA અજિત ડોભાલ પોતે મોસ્કો જશે અને S-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની વહેલી ડિલિવરી માટે ફોર્સ કરશે. ઓપરેશન સિંદૂર દ્વારા આખી દુનિયાએ જોયું છે કે S -૪૦૦ ભારત માટે કેટલું મહત્ત્વપૂર્ણ છે. પાકિસ્તાન તેના નામથી જ ડરે છે. ભારત પાસે હાલમાં ૩ S -૪૦૦ છે. ભારતમાં તેનું નામ સુદર્શન ચક્ર છે. બાકીના S-૪૦૦ના આગમનથી પાકિસ્તાનનો તણાવ વધુ વધશે.

વર્ષ ૨૦૧૮માં, ભારતે S -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ યુનિટ્સ ૫.૪ બિલિયન ડોલર એટલે કે ૩૫,૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આમાંથી, ત્રણ સિસ્ટમો પહોંચાડવામાં આવી છે. વધુ બે સિસ્ટમની રાહ જોવાઈ રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને અન્ય પડકારોને કારણે, S -૪૦૦ ની ચોથી સ્ક્વોડ્રન ૨૦૨૫ ના અંત સુધીમાં અને પાંચમી સ્ક્વોડ્રન ૨૦૨૬ માં આવવાની ધારણા છે.

S-૪૦૦ ની ક્ષમતા તાજેતરમાં જ ચર્ચામાં આવી જ્યારે આ સંરક્ષણ પ્રણાલીએ ૩૦૦ થી વધુ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા.

ભારતના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની હુમલાને નષ્ટ કરવામાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે પાકિસ્તાનના એક પણ હુમલાને સફળ થવા દીધો નહીં. પાકિસ્તાનથી આવેલા બધા ડ્રોન અને મિસાઇલોને S -૪૦૦ દ્વારા હવામાં તોડી પાડવામાં આવ્યા. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.