Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાને અમેરિકાને ચેતવણી આપી
પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની યોજના ન બનાવવા જોઇએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર સૂત્રોએ દાવો કર્યો છે કે US , NSA અને વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાનને ચેતવણી આપી છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાને ભારતના હુમલા સામે કોઈ કાર્યવાહી કરવાનું વિચારવું જોઈએ નહીં. પાકિસ્તાને ભારત સામે યુદ્ધ કરવાની હિંમત ન કરવી જોઈએ. ઉપરાંત, ભારત અંગે રુબિયોએ કહ્યું કે, ભારતને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનો અધિકાર છે. હવે ભારતના આ હુમલાના જવાબમાં પાકિસ્તાને કોઈ હુમલો ન કરવાની યોજના બનાવવી જોઈએ.
હુમલાનો જવાબ આપવાનો વિચાર પણ ન કરી શકાય
આ સાથે પાકિસ્તાન તરફથી ભારતને જવાબ આપવાની વાત પણ ચાલી રહી છે. તો માર્કો રુબિયોએ પાકિસ્તાની NSA સાથે વાત કરી અને તેમને ચૂપ રહેવા કહ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી, ભારતના હુમલાનો જવાબ આપવાનો વિચાર પણ ન કરે.
આ હુમલા પછી માર્કો રુબિયોએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી અને કહ્યું કે, હું ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છું. આજે વહેલી તકે કરવામાં આવેલી ટિપ્પણીઓ આશા વ્યક્ત કરે છે કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતીય અને પાકિસ્તાની નેતૃત્વ બંનેને જોડવાના પ્રયાસો ચાલુ રહેશે.
ભારતે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને લીધો છે. ૨૨ એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા ૨૬ લોકોની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી. આ હવાઈ હુમલા પછી, હવે દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
હુમલા પછી તરત જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે વાત કરી અને તેમને ઓપરેશન દરમિયાન લેવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપી હતી.