Last Updated on by Sampurna Samachar
ભારત આ કરશે તો પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર પડશે ગંભીર અસર
પાકિસ્તનમાં મોંધવારી અને ગરીબી વધશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ આતંકી હુમલા બાદ ભારતનું વલણ પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક બની રહ્યુ છે. જયાં ભારતે સિંધુ જળ સંધિ તોડીને પાકિસ્તાનનું પાણી રોકી દીધું છે. હવે ભારત પાકિસ્તાનની કમર તોડવાની તૈયારી કરી રહ્યું છે. જી હાં, ભારત હવે પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપી શકે છે. પાકિસ્તાને ભારત માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. હવે ભારત પોતાનો એર રુટ અને સમુદ્રી માર્ગ પાકિસ્તાન માટે બંધ કરી શકે છે. ભારતે પાકિસ્તાનને ભારતીય પોર્ટથી દૂર રાખવાની તૈયારી શરુ કરી દીધી છે.
જો ભારતે એર રુટ અને સમુદ્રી માર્ગ રોકવાનો ર્નિણય લીધો તો તેની સીધી અસર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને ત્યાંના સ્થાનિક લોકો પર પડશે. ભારત આવું કરશે તો પાકિસ્તાનને અન્ય દેશો સુધી પહોંચવા માટે શ્રીલંકા અને ચીનના રસ્તે જવું પડશે. ખાસ કરીને જો ભારતનું હવાઈ ક્ષેત્ર પાકિસ્તાન માટે બંધ થઈ જાય તો તે દક્ષિણ પૂર્વ એશિયન દેશો, કુઆલાલંપુર વગેરે માટે શ્રીલંકા અને ચીનના એરસ્પેસથી ફરીને જવું પડશે, જેના કારણે એરલાઈનનો ખર્ચો, ભાડા વધી જશે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલાથી કંગાળ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલાથી કંગાળ છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ ભારતના એર સ્પેસનો ઉપયોગ મલેશિયા, સિંગાપોર અને થાઈલેન્ડ જેવા દક્ષિણ પૂર્વ એશિયાઈન દેશો સુધી પહોંચવા માટે કરે છે. ત્યારે આવા સમયે ભારત તરફથી એર અને સમુદ્રી રુટ બંધ કરવામાં આવે તો પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈંસ તે ભારે લાંબુ અંતર કાપીને બીજા દેશોમાં જવું પડશે.
પાકિસ્તાનમાં મોંઘવારી વધશે અને લોકોને આર્થિક નુકસાન થશે. મોંઘવારી વધવાથી ગરીબી વધશે. પાકિસ્તાનનો વેપાર અને અવરજવર ઠપ થઈ જશે, જેનાથી અર્થવ્યવસ્થા તળીયે જશે. યૂરોપિયન એર સેફ્ટી એજન્સીએ સુરક્ષા કારણોથી ૩૦ જૂન ૨૦૨૦ના રોજ પાકિસ્તાન ઈન્ટરનેસનલ એરલાઈન્સને યૂરોપમાં ઉડાન ભરવાથી રોક લગાવી દીધી હતી. જોકે ૪ મહિનાથી વધારે બાદ ૨૯ નવેમ્બર ૨૦૨૪ ના રોજ રુટ ફરી શરુ કરી દીધો હતો.