Last Updated on by Sampurna Samachar
એક પછી એક છ મકાનો ધરાશાયી થતાં કેટલાય લોકો દટાયા
પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મથુરામાં એક સાથે ૬ ઘરો ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. કાટમાળ નીચે દટાઈ જવાથી ૩ લોકોના મોત થયા છે. અચાનક ઘરો ધરાશાયી થવાથી વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અહીંના ખુલ્લી જમીનમાં JCB વડે ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આ અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ મથુરાના ગોવિંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કાચી રોડ પર બનેલા ૬ ઘરો અચાનક ધરાશાયી થયા હતા. આ મકાનો કાચાના ટેકરા પર બાંધવામાં આવ્યા હતા. ઘર પડવાનો અવાજ સાંભળીને નજીકમાં રહેતા લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા.
ઘટના બની ત્યારે એવુ લાગ્યું કે ભૂકંપ આવ્યો
માહિતી મુજબ, બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ૬ મકાનો અચાનક ધરાશાયી થયા. આ દુર્ઘટનામાં ૧૦ થી વધુ લોકો દટાઇ ગયા. માહિતી મળતાં પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભંગ થયેલા તમામ ૬ મકાનો માટીના ટેકરા પર બાંધવામાં આવ્યા હતા. લોકોએ જણાવ્યું કે અહીં ખુલ્લી જમીનમાં JCB ખોદકામ કરી રહ્યું હતું. અચાનક માટી ધસી પડી અને એક પછી એક બધા મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા. લોકોએ જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો છે. લોકોને ભાગવાનો મોકો પણ ન મળ્યો. પોલીસે લોકોની પૂછપરછ કરીને ઘટનાની તપાસ શરૂ કરી છે.