Last Updated on by Sampurna Samachar
૨૦૨૦ બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ
વિઝા આપવા માટે સામાન્ય પ્રક્રિયાઓનું પાલન થશે, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સરકારે એક મોટો ર્નિણય લીધો છે. ભારત સરકાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ કરવાનીતૈયારી કરી રહી છે. પાંચ વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ આસેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. હવે બંને દેશો વચ્ચેના સંબંધોમાં જામેલો બરફ ધીમે–ધીમે પીગળી રહ્યો છે.

આ મહત્વપૂર્ણ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમે–ધીમે આવી રહેલી નરમાશના ભાગરૂપે ભરવામાં આવ્યુંછે. તાજેતરમાં જ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ સાથે જ લાંબા સમયથી સ્થગિત થયેલી કૈલાશ માનસરોવર યાત્રાને પણ પુન: સ્થાપિત કરી દેવામાં આવી છે. વિઝાના આ નવા નિયમો મુખ્ય ચીન, હોંગકોંગ અને મકાઉથી આવતા યાત્રીઓ પર લાગુ થશે.
ભૂતકાળના મતભેદોને પાછળ છોડીને સહયોગ
સરકારનો આ ર્નિણય પર્યટન, વેપાર અને બંને દેશોના લોકો વચ્ચે પરસ્પર મેલજોલ વધારવાના પ્રયાસોનોએક ભાગ છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આ પ્રવૃત્તિઓ અટકી પડીહતી. જો કે, વિઝા આપવા માટે સામાન્ય પ્રક્રિયાઓનું પાલન થશે, પરંતુ સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રતિબંધો હજુ પણ લાગુ રહેશે.
નિષ્ણાતોનું માનવું છે કે આ ર્નિણયથી બંને દેશો વચ્ચે આર્થિક અનેસાંસ્કૃતિક સંબંધો મજબૂત થશે. વ્યાપારી સમુદાયે પણ આ પગલાનું સ્વાગત કર્યું છે. હાલમાં બંને દેશો ધીમેધીમે પોતાના ભૂતકાળના મતભેદોને પાછળ છોડીને સહયોગની દિશામાં આગળ વધી રહ્યા છે.