Last Updated on by Sampurna Samachar
અગાઉ ૨૦૨૦ માં કોરોના સંક્રમણની કરી હતી આગાહી જે સાચી પડી
શું આ આગાહી સાચી પડશે કે નહીં ? તે ભવિષ્ય પર આધારિત
(સંપૂર્ણ સમાચાર સેવા)
જાપાની બાબા વેંગાથી પ્રખ્યાત એવા લેખિકા રિયો તાત્સુકીએ ફરી એકવાર ભવિષ્યવાણી કરી છે. જે સાંભળી તમે ચોંકી જશો. ભવિષ્યવાણી એમ છે કે વર્ષ ૨૦૨૦ માં તબાહી મચાવનાર કોરોના મહામારી ફરી એક વાર દસ્તક દઈ શકે છે. જી હા, કોવિડ- ૧૯ સંક્રમણ ફરી એક વાર ફેલાશે તેમ ભવિષ્યવાણી કરી છે.
જાપાનના રિપોર્ટના જણાવ્યા અનુસાર, તેમણે વર્ષ ૧૯૯૯માં ભવિષ્ય જેવું હું જોવું છું, તેવા નામના શીર્ષકથી એક કોમિક બનાવી હતી, જેમાં ૨૦૨૦ માં દુનિયાભરમાં હાહાકાર મચાવનારા વાયરસ (VIRUS) ની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ની આસપાસ એક અજાણ્યો વાયરસ દેખાશે. જે એપ્રિલમાં પોતાની ચરમ પર પહોંચી જશે.
કોરોના રોગચાળો ૨૦૩૦ માં ફરીથી ઉભરાશે
કોરોના વાયરસના ઉદભવ અંગેની તેમની આગાહી સાચી પડી, જોકે તેમણે સ્પષ્ટતા કરી ન હતી કે તે કયા વર્ષમાં ટોચ પર પહોંચશે, પરંતુ કોરોના રોગચાળાનો સૌથી ઘાતક કેસ વર્ષ ૨૦૨૧ માં બન્યો હતો, જ્યારે ડેલ્ટા વેરિયન્ટના કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. તાત્સુકીએ આગામી વર્ષો માટે, ખાસ કરીને કોરોના વાયરસના સંબંધમાં, આગાહીઓ પણ કરી છે.
તેમની આગાહી મુજબ, કોરોના રોગચાળો ૨૦૩૦ માં ફરીથી ઉભરી આવશે. ર્યોએ તે જ કોમિકમાં લખ્યું હતું કે આ પછી તે અદૃશ્ય થઈ જશે, પરંતુ લગભગ ૧૦ વર્ષ પછી ફરીથી દેખાશે. આવી સ્થિતિમાં, ૨૦૩૦ માં ફરીથી કોરોના ફેલાવાનો ભય છે, પરંતુ શું આ આગાહી સાચી પડશે કે નહીં? તે ભવિષ્ય પર આધારિત છે.
જાપાનના બાબા વેંગાએ રાજકુમારી ડાયના અને સંગીતકાર ફ્રેડી મર્ક્યુરીના મૃત્યુની આગાહી કરી હતી. તેમણે ઊંઘમાં જોયેલી વસ્તુઓ રેકોર્ડ કરી હોવાનું કહેવાય છે. દરમિયાન, વિશ્વભરના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ડિસીઝ એક્સ આગામી રોગચાળો બની શકે છે. જોકે તેમને ખબર નથી કે આનું કારણ શું હોઈ શકે.
વિશ્વ આરોગ્ય સંગઠન તાજેતરમાં કોવિડ-૧૯ દરમિયાન થતી ભૂલોને કેવી રીતે અટકાવવી અને ભવિષ્યમાં રોગચાળાનો સામનો કેવી રીતે કરવો તે અંગે સર્વસંમતિ પર પહોંચ્યું છે. ઇબોલા, ઓરી, MPOX અને H5N૧ એવિયન ફ્લૂ હાલમાં વિશ્વના ઘણા પ્રદેશોમાં ભય પેદા કરે છે. તેથી જો તાત્સુકીની આગાહી સાચી પડે તો નવાઈ નહીં લાગે.
જોવા જઇએ તો તેમની આગાહીઓ ૧૫ વર્ષના ચક્રને આધીન છે અને બધી જ આગાહીઓ એકસાથે સાકાર ન પણ થાય. જો ૨૦૩૦ માં કંઈ ન થાય, તો તેનો અર્થ એ કે ખતરો ૧૫ વર્ષ આગળ ૨૦૪૫ સુધી ધકેલાઈ જશે. તેમણે જુલાઈ ૨૦૨૫ માં એક વિશાળ સુનામીની આગાહી પણ કરી છે, જે રોગચાળાના પુનરાગમનની શક્યતાનો સંકેત આપશે.